સાણંદ : વિરમગામ તાલુકાના કમીજલા મુકામે આવેલ રવિભાણ સંપ્રદાયના સ્થાપક સંતશ્રી ભાણસાહેબની ચેતનસમાધિ મુકામે સમાધિસ્થાનના મહંતશ્રી મહામંડલેશ્વર પૂજ્ય જાનકીદાસબાપુના સાનિધ્યમાં ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના સંયુકત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારમાં રવિભાણપરંપરાના સાહિત્ય વિશે ગુજરાતભરમાંથી પધારેલા વિદ્વાનોએ અભ્યાસપૂર્ણ વકતવ્યો આપ્યા હતા. આ સેમિનારમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ કવિ હર્ષદ ત્રિવેદી, બ્રહ્મચારી આશ્રામ-ગોતરકાના નિજાનંદસ્વામી, દલપત પઢિયાર, આનંદઆશ્રામ- ઘોઘાવદરના મહામંડલેશ્વર નિરંજન રાજ્યગુરુ, ડ ત્રિકાલદાસજી, પૂર્વ ક્લેકટર અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી સંતસાહિત્ય વિશે સંશોધન કરી રહેલ સંશોધકો, વિદ્વાનો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો