રાજકોટ અને જામનગરમાં થયેલા ગોડસેના વિરોધ પછી, હવે અમદાવાદમાં પણ ગોડસેનો વિરોધ થયો છે. NSUI દ્વારા અમદાવાદના બોડકદેવ સર્કલ પાસે વિરોધ પ્રગટ કરતા લખાણો લખતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. NSUI દ્વારા ગાંધીજી અમર રહો અને ગોડસે મુર્દાબાદ જેવા નારા લખવામાં આવ્યા છે.
દીવાલો પર ગોડસે વિરુદ્ધ લખાણ લખી NSUIનો વિરોધ
NSUI ના કાર્યકરો એ પંડિત દિનદયાળ ઓડિટોરિયમમાં અને જાહેર દીવાલો પર ગોડસે વિરુદ્ધ લખાણ કરતા નારા લખ્યા છે .તેમણે “ગાંધીજી અમર રહો” અને “ગોડસે મુર્દાબાદ” જેવા સ્લોગનોથી વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો.













