શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ખોખરા સ્થિત સરકારી રૂક્ષ્મણીબેન હોસ્પિટલની કંપાઉન્ડ વોલ પાસે જ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. એક તરફ્ તંત્ર સ્વચ્છ ભારત અભિયાનના મોટા-મોટા દાવા કરે છે, તો બીજી તરફ્ જ્યાં દર્દીઓ સાજા થવા આવે છે તે હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વારની નજીક જ ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે.
રૂક્ષ્મણીબેન હોસ્પિટલની બહારની ફૂટપાથ અને દીવાલને અડીને કચરાથી ભરેલા ગ્રીન ડસ્ટબિન અને કચરાગાડી લાંબા સમયથી પડી રહેલી જોવા મળે છે. કચરાના આ ખુલ્લા ઢગલામાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે હોસ્પિટલ આવતા દર્દીઓ, તેમના સંબંધીઓ અને ત્યાંથી પસાર થતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ ગંદકીના કારણે માખી અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જે પોતે અનેક રોગોને આમંત્રણ આપી રહ્યા છે.
