રિવરફ્રન્ટ પર યોજાયેલા ભવ્ય ફ્લાવર શોના સમાપન બાદ તેમાં રાખવામાં આવેલી વિવિધ પ્રજાતિના ફૂલ-છોડને શહેરીજનો પોતાના ઘરના આંગણે કે ગાર્ડનમાં લગાવી શકે તે હેતુથી AMC ના ગાર્ડન વિભાગ દ્વારા વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.


ફ્લાવર શોના ફૂલ-છોડના ખરીદી કરી શકશે

અમદાવાદના નગરજનો ચાર મુખ્ય નર્સરીઓ પરથી આ ફૂલ-છોડની ખરીદી કરી શકશે. ચાંદખેડા નર્સરી,એલિસબ્રિજ નર્સરી,નવરંગપુરા નર્સરી,સાયન્સ સિટી પાસે આવેલી AMCની નર્સરી.AMC દ્વારા આ છોડના ભાવ સામાન્ય નાગરિકોને પરવડે તે રીતે નક્કી કરવામાં આવ્યા છે.

છોડના ભાવ પરવડે તે રીતે નક્કી કરવામાં આવ્યા 

 છોડની વેરાયટી મુજબ રૂ. 10 થી લઈને રૂ. 235 સુધીના અલગ-અલગ ભાવ નિર્ધારિત કરવામાં આવ્યા છે.વ્યક્તિગત વપરાશ માટે 1 નંગથી લઈને મોટા બગીચાઓ માટે 1000 નંગ સુધીના જથ્થામાં ફૂલ-છોડ મળી શકશે.

આ પણ વાંચો: Rajkot: વધુ એક વેપારી લોભામણી લાલચનો શિકાર, 12% વ્યાજની લાલચમાં 28.50 લાખ ગુમાવ્યા



  • Follow us on: