નવરંગપુરામાં એક સમાજસેવી ટ્રસ્ટ સાથે ગંભીર પ્રકારની છેતરપિંડી અને વિશ્વાસથાત કરી, બોગસ સહીઓ તેમજ ચેકોનો દુરુપયોગ કરી રૂ.6.85 કરોડની ઉચાપત કરવાના ચેકચારી કેસમાં પાંચ વર્ષની સજા પામેલા આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેહમુલ બરજોર શેઠના વિરુદ્ધ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
6.85 કરોડની સ્થાવર મિલકતો જપ્ત
EDએ અગાઉ દરોડા પાડીને કફ્લેટ અને પ્લોટ સહિત રૂ.6.85 કરોડની સ્થાવર મિલકતો જપ્ત કરી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેહમુલ શેઠનાને ટ્રસ્ટ દ્વારા ફોજદારી કોર્ટમાં કરવામાં આવેલા કેસમાં અગાઉ ગુનેગાર ઠેરવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઈનકમ ડિસ્ક્લોઝર સ્ક્રીમ 2016 હેઠળ મહેશ શાહ વતી રૂ.13860 કરોડનો ખુલાસો પણ તેહમુલ શેઠનાએ જ કર્યો હતો.
