અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપતા, તંત્ર દ્વારા રથયાત્રાના રૂટ પર આવેલા જર્જરિત અને ભયજનક મકાનોના જોખમી ભાગોને ઉતારવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
