ગુજરાતનો સૌથી વ્યસ્ત અને મહત્વનો રોડ એવો અમદાવાદ-વડોદરા એકસપ્રેસ વેને 6 લેન સુધી વિસ્તૃત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને NHAIએ એક્સપ્રેસવેના વિસ્તરણ માટે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા કન્સલ્ટન્સી ફર્મ નીમવા ટેન્ડર બહાર પાડ્યું છે.

14 માર્ચ સુધી ટેન્ડર સબમિશનની છેલ્લી તારીખ

12 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીની NHAI મુખ્યાલય તરફથી આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ટેન્ડર અનુસાર 93.302 કિમી સુધીના સંપૂર્ણ 93.302 કિમીના માર્ગ માટે તૈયાર કરવામાં આવશે, હાલમાં આ એકસપ્રેસ વે પર બન્ને બાજુએ બે-બે લેન અને સર્વિસ લેન છે, NHAIના જાહેર શેડ્યૂલ મુજબ, ટેન્ડર સંબંધિત પ્રશ્નો 3 માર્ચ, 2026 સુધી પુછાઈ શકશે. 4 માર્ચે પ્રી-બિડ મિટિંગ યોજાશે.

2004માં શરૂ થયો હતો દેશનો પ્રથમ 4 લેન એક્સપ્રેસ-વે

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે વર્ષ 2004માં Atal Bihari Vajpayeeના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા Golden Quadrilateral પ્રોજેક્ટ હેઠળ ખુલ્લો મુકાયો હતો. આ દેશનો પ્રથમ 4-લેન એક્સપ્રેસવે ગણાય છે. આ માર્ગ અમદાવાદ, નડિયાદ, આણંદ અને વડોદરાને જોડતો મહત્વપૂર્ણ કોરિડોર છે. આ માર્ગ શરૂ થતાં અમદાવાદથી વડોદરા વચ્ચેનો મુસાફરી સમય લગભગ 2.5 કલાકથી ઘટીને અંદાજે 1 કલાક થશે.


Anand News : આણંદના યુવક-યુવતીને અઝરબૈજાનમાં બંધક બનાવવાનો કેસ, અપહરણ કરી ખંડણી માંગનાર 3 એજન્ટને પોલીસે ઝડપ્યા