
Weather Forecast : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલશે

Feb 11, 2026 11:36 pm
અમરેલીના લીલીયાના કણકોટમાં સ્વાનના આતંક બાદ હવે જંગલી રોઝનો આતંક સામે આવ્યો છે. કણકોટમાં જંગલી રોઝ હડકાયું બનતાં બે લોકોને ઈજા પહોંચી હતી. રોઝના હુમલામાં એક મહિલા સહિત બે લોકોને ઈજા પહોંચી હતી. બંને જણાને દામનગરમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ અમરેલી રિફર કરવામાં આવ્યા હતાં.
Feb 11, 2026 11:28 pm
અમદાવાદ પોલીસની સબ સલામત હોવાની ગુલબાંગો વચ્ચે હત્યાના બનાવો હવે મર્યાદા બહાર વધી રહ્યાં છે. બોપલમાં વકીલ સાહેબ બ્રિજની નીચે હત્યાની ઘટના બહાર આવી હતી. ત્યારે હવે શહેરમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. અમદાવાદના મણીનગરમાં વેલેન્ટાઈન ડે પહેલા જ એક યુવકે તેની ફિયાન્સીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
Feb 11, 2026 11:15 pm
રાજસ્થાન કોટાનો ગેંગસ્ટર અને કુખ્યાત આરોપી અમન બચ્ચા તેમજ તેના એક સાગરીતની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.ગઈકાલે ગેંગસ્ટર અમન બચ્ચા અને તેનો સાગરીત અમદાવાદમાં હોવાની માહિતી મળી હતી.પોતાની નિષ્ક્રિય ગેંગ ને સક્રિય કરવા માટે અને ગેંગ મા નવા સભ્યોને ઉમેરવા માટે અમદાવાદ આવ્યો હોવાનુ સામે આવ્યુ છે.ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી વેજલપુર વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી છે.
Feb 11, 2026 10:26 pm
ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ભાજપના ધારાસભ્યોને વિપક્ષ ઘેરી ના શકે તે માટે ખાસ તાલીમ આપવામાં આવશે. આ પહેલા ભાજપ સરકારમાં એક ચિંતા સામે આવી છે. સત્ર અગાઉ જ ભાજપના ધારાસભ્યોની ઉદાસીનતા સામે આવી છે. આ વખતે ભાજપના ધારાસભ્યો દ્વારા ગૃહમાં ખૂબજ ઓછા પ્રશ્નો પૂછવામાં આવશે કારણ કે, ઓછા સવાલને પગલે પક્ષમાં ચિંતા પેઠી છે. તમામ ધારાસભ્યોને કડક પ્રશ્નો પૂછવા સૂચના આપવાાં આવી છે. મુખ્ય દંડક ઓફિસ ખાતે સવાલ મોકલવા આદેશ કરાયો છે.
Feb 11, 2026 09:56 pm
અમદાવાદ શહેર માટે મહાનગર પાલિકા એ ફૂલ ગુલાબી ચિત્ર દર્શાવતું બજેટ રજૂ કર્યું છે.. સુધારા સાથે રજૂ કરેલા બજેટમાં મહાનગર પાલિકા સીસીટીવી કેમેરા માટે જોગવાઈ લઇને આવ્યું છે.. ફાયદો તો ચોક્કસ થશે અને સુરક્ષા પણ વધશે પરંતુ શહેરમાં જાહેર માર્ગો પર લગાવેલા કેમેરાનું શું જે બંધ હાલતમાં છે વિપક્ષ તેને લઈને સવાલ ઉઠાવી રહ્યો છે.
Feb 11, 2026 09:14 pm
બનાસકાંઠાના ડીસામાં યુવકની આત્મહત્યા મુદ્દે આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મહિલા આઈપીએસ સહિત 9 લોકો સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સુસાઈડ નોટમાં ખોટા રેપ કેસ અને 20 લાખની ખંડણીની માગ કરવાનો ઉલ્લેખ કરાયો છે.મૃતકે લખેલી સુસાઈડ નોટમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, મેં બળાત્કાર નથી કર્યો સાચો પ્રેમ કર્યો છે. તેણે આ નોટમાં પીઆઈનું નામ લખ્યું હોવાને કારણે ફરિયાદ નથી લેવાઈ તેવો પરિવારે પણ આક્ષેપ કર્યો છે. મૃતકની બહેન અડધી રાત્રે ફરિયાદ કરવા માટે પહોંચી હતી. ફરિયાદ માટે ડિસા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ઈનકાર કરવામાં આવ્યો હતો. પોલીસે મૃતકની બહેન સાથે ગેરવર્તન કર્યાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે ત્રણ મોબાઈલ અને સુસાઈડ નોટ કબજે કર્યા હોવા છતાં પંચનામું ન કર્યાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. તપાસ કરી સત્ય બહાર લાવવા સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે.
Feb 11, 2026 08:56 pm
આ કેસમાં ભરત બાટિયાની જામીન અરજી નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી કરવામાં આવી હતી, પરંતુ તમામ સ્તરે જામીન અરજી રદ થઈ હોવાનું જાણવા મળે છે. રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી વધુ માહિતી મેળવવામાં આવશે. આ છેતરપીંડીમાં અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે નહીં, તેમજ નાણાં ક્યાં વપરાયા તેની દિશામાં તપાસ આગળ વધારાશે.કોલેજ સાથે સંકળાયેલા લોકો અને સંસ્થાના પ્રતિનિધિઓ પાસેથી પણ પૂછપરછ થવાની શક્યતા છે. સમગ્ર મામલો સામે આવતા શિક્ષણ ક્ષેત્રમાં ચકચાર મચી ગઈ છે.
Feb 11, 2026 08:46 pm
વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમા વખતો વખત મગરની વસ્તી ગણતરી કરવામાં આવે છે. ત્યારે શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ મગરની ગણતરી કરવામાં આવી હતી. જેમાં 423થી વધુ મગરો જોવા મળ્યા હતા.હાલમાં વિશ્વામિત્રી નદીને પહોળી કર્યા બાદ ફરીથી મગરની ગણતરી કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારથી અને રાત્રિના સમયે શાળા 17 કિ.મીના નદીના પટમાં ટીમોને ઉતારી મગરની ગણતરી હાથ ધરી હતી.
Feb 11, 2026 08:09 pm
મુખ્યમંત્રીએ જણાવ્યું કે,અમૂલે પોતાના સભાસદો,દૂધ ઉત્પાદકોને વધુ આવક મળે તેવી નવિનતમ ટેકનોલોજીનો ઉપયોગ ડિજિટલ ક્રાંતિથી કર્યો છે.પોતાની સુવિકસિત આગવી આઈ.ટી.સિસ્ટમમાં પશુપાલકો,દૂધ ઉત્પાદકો, સભાસદોનો જે ડેટાબેઝ છે તેને ઇન્ટીગ્રેટ કરીને હવે અમૂલ એ.આઈ.થી એડવાન્ટેજ ઇન્ડિયા માટે સજ્જ થયું છે. તાજેતરમાં અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે થયેલી ટ્રેડ ડિલ ડેરી ક્ષેત્ર માટે લાભદાયી થશે.આ ડીલમાં ડેરી પ્રોડક્ટ્સની ઇમ્પોર્ટને બાકાત રાખવાના તેમના આગવા નિર્ણયથી દેશમાં દૂધ ઉત્પાદન પર નિર્ભર 10 કરોડથી વધુ નાના અને સીમાંત ખેડૂતોનો જીવન નિર્વાહ સુરક્ષિત રહેશે.
Feb 11, 2026 07:48 pm
ગુજરાત વિધાનસભામાં કામકાજ સમિતીની બેઠકની તારીખ બદલાઈ છે. ગાંધીનગરમાં 13 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે કામકાજ સમિતીની બેઠક થશે. અગાઉ 12મી ફેબ્રુઆરીએ આ બેઠક મળવાની બતી. વિધાનસભાના અધ્યક્ષની વ્યસ્તતાને કારણે આ બેઠકની તારીખ બદલવામાં આવી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહેશે. આ ઉપરાંત નાણાં મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી પણ હાજર રહેશે.
Feb 11, 2026 07:35 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ દ્વારા ડેરી ક્ષેત્રને નવી દિશા આપતા અમૂલ એ.આઈ.નું લોકાર્પણ કરતાં સ્પષ્ટ પણે જણાવ્યું કે,આ અમૂલ એ.આઈ. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કૃષિ, પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાનો માઈલ સ્ટોન બનશે.રાજ્યના 18,500થી વધુ ગામડાઓમાં 36 લાખ દૂધ ઉત્પાદકોની સહકારી સંસ્થા અને વિશ્વની અગ્રણી સહકારી સંસ્થાની તથા ડેરી બ્રાન્ડની ખ્યાતિ પ્રાપ્ત અમૂલ દ્વારા ખેડૂતથી ટેક્નોલોજી સુધી સહકારને સ્માર્ટ બનાવતી નવિન અમૂલ એ.આઈ. ક્રાંતિનો પ્રારંભ અવસર આણંદમાં યોજવામાં આવ્યો હતો.
Feb 11, 2026 07:23 pm
કલોલ હાઇવેના સર્વિસ રોડ ઉપર બેફામ થાર ચાલકે ચાર વાહનોને અડફેટે લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. થાર ચાલકે બેફામ કાર હંકારી ચાર વાહનો સાથે અકસ્માત કર્યો હતો. થારની અડફેટે બે વર્ષના બાળક સહિત ચાર લોકો ઘાયલ થયા છે.થાર ચાલકે બાઈક તથા મોપેડ અને ટેમ્પોને અડફેટે લીધા છે.ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બનાવના પગલે પોલીસ દોડી આવી અને થાર ચાલકને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.
Feb 11, 2026 07:07 pm
વડોદરામાં એસઆઈઆરની કામગીરી મામલે વાંધા અરજીઓ રદ કરાઈ છે. 45 હજાર મતદારો સામે વાંધા અરજી કરાઈ હતી. કલેક્ટરે તમામ વાંધા અરજીઓ રદ કરી છે. રાજકીય પક્ષોના કાર્યકરોના નામે અરજીઓ થઈ હતી.
Feb 11, 2026 07:01 pm
શિવરાત્રિ નિમિત્તે કેબિનેટ મંત્રી નરેશ પટેલના હસ્તે સ્વદેશી હાટ બજારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરીએ. આત્મ નિર્ભર તરફ આગળ વધીએ. જેને લઈને અનેક આયોજન કરાય છે. આજે સ્વદેશી હાટ ખુલ્લુ મુકાયું છે. જેનો નાગરિકોને લાભ લેવા વિનંતી છે. વસ્તુઓ બનાવનાર લોકો આપણાં જ છે.
Feb 11, 2026 06:45 pm
ગુજરાતમાં અનાજ વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર આવશે. હવે રેશનકાર્ડની જગ્યા ડિજિટલ કાર્ડ લેશે. અનાજ પણ પૈસાની જેમ ATMથી મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ પ્રોજેક્ટ શરૂ કરાવશે. આગામી 15 ફેબ્રુઆરીએ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે. રાશનની દુકાનોમાં થતી ગેરરીતિ રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં સાબરમતિ ખાતે અનાજ ATM શરૂ કરાશે.
Feb 11, 2026 06:36 pm
અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં ટિકિટના દરમાં ઘટાડો કરાશે. AMCની રી ક્રીએશન કલ્ચર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય.AMC બટરફ્લાય પાર્કમા ટિકિટ દરમા કરાશે ઘટાડો.વેક્સ મ્યુઝીયમમાં પણ ટિકિટનો દર ઘટાડો કરાશે.બટર ફ્લાય પાર્કમાં દર રુ.100થી ઘટાડી રુ 60 કરાશે.વેક્સ મ્યુઝિયમમાં રુ. 130થી ઘટાડીને રુ.80 કરાશે.કાકરીયા ફન કાર્નિવલ પાર્કમાં આવેલ છે બંને એકીટીવીટી
Feb 11, 2026 06:21 pm
ગીર સોમનાથના તાલાલામાં એક શિક્ષકનો અભદ્ર વીડિયો બનાવીને ખંડણી માંગવાનો બનાવ સામે આવ્યો છે. ઠંડાપીણામાં નસીલી વસ્તુ મિક્સ કરીને શિક્ષકને બેહોશ કરી તેમનો નગ્ન વીડિયો બનાવવામાં આવ્યો હતો. આરોપીઓએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સાત લાખ રૂપિયા માંગ્યા હતાં. શિક્ષકના મિત્રએ જ વિશ્વાસનો દુરૂપયોગ કરીને આ આખું કાવતરૂ રચ્યું હતું. શિક્ષકે તલાલા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
Feb 11, 2026 05:59 pm
1. Thailand: શાળાના ડે-કેર સેન્ટરમાં ફાયરિંગ, 22 બાળકો સહિત 34 લોકોના મોત
3. Ahmedabad News: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસે એક યુવકની છરીના ઘા મારીને હત્યા કરાઈ
4. Australiaની ટીમે લીધો મોટો નિર્ણય, સ્ટીવ સ્મિથની T20 વર્લ્ડકપ 2026માં એન્ટ્રી
6. Ahmedabad News: નળ સરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની થઈ નોંધણી
7. Porbandar : જિલ્લામાં પ્રવેશવા ત્રણ-ત્રણ ટોલ નાકા, NHAI વિરૂદ્ધ શહેરીજનોમાં ભારે આક્રોશ
Feb 11, 2026 05:28 pm
અમદાવાદમાં હત્યાના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે બોપલમાં વકીલ સાહેબ બ્રિજની નીચે સરસ્વતી હોસ્પિટલ સામે જાહેરમાં ખૂની ખેલ ખેલાયો છે. પૈસાની લેતી દેતીમાં એક યુવકની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. શિવા ક્લાસુઆ નામના યુવકની સુનિલ ખોખરિયા અને અજાણ્યા આરોપીઓ હત્યા કરી દીધી હતી. બંને વચ્ચે પૈસાની લેતી દેતીમાં તકરાર ચાલતી હતી. બે અજાણ્યા શખ્સોએ શિવાને પકડી રાખ્યો હતો અને સુનિલ ખોખરિયાએ તેને છરીના ઘા માર્યા હતાં. ઈજાગ્રસ્ત શિવાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સરખેજ પોલીસે આરોપીઓને રાઉન્ડ અપ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Feb 11, 2026 05:13 pm
ગાંધીનગરના બહિયલમાં થયેલા પથ્થરમારાની ઘટનામાં પોલીસે ફરાર આરોપીઓની ધરપકડ કરી છે. દહેગામ પોલીસે બે માસથી ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીએ ટોળાને ઉશ્કેરી પથ્થરમારો કરવાની ભૂમિકા હતી. બહિયલ ગામ પર લઈ જઈ પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો. નવરાત્રી સમયે આરોપીઓએ બહિયલમાં પથ્થરમારો થયો હતો.
Feb 11, 2026 05:02 pm
ધોળકા પાસે વટામણ ચોકડી પર ઓવરબ્રિજ પર કામ કરતા શ્રમિકો કોઈ પણ પ્રકારની સેફ્ટી વિના કામ કરતા જોવા મળ્યાં છે. વટામણ ચોકડી ખાતે બની રહેલા નવા ઓવરબ્રિજના કામમાં મોટી બેદરકારી સામે આવી છે. વિકાસના કામોની ઉતાવળમાં શ્રમિકોના જીવને જોખમમાં મુકવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. શ્રમિકો પાસે હેલ્મેટ, સેફ્ટી શૂઝ, સેફ્ટી નેટ સહિતના સાધનો ઉપલબ્ધ નહીં હોવાનું પણ સામે આવ્યું છે. જો કોઈપણ પ્રકારની દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની એવા અનેક સવાલો ઉભા થયાં છે.
Feb 11, 2026 04:45 pm
બનાસકાંઠાના દિયોદરમાં એક મહિલાએ ભુવા સહિત ત્રણ શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલાને તેનો પતિ નહીં ગમતો હોવાથી તેણે ભુવાનો સંપર્ક કર્યો હતો. આ ભુવાએ મહિલાને છૂટાછેડા અપાવવાની લાલચ આપી હતી. ત્યાર બાદ તેને અલગ અલગ સ્થળો પર લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્રણેય આરોપીઓ યુવતીના સગા સંબંધી હોવાનું પણ જાણવા મળ્યું છે. દિયોદર પોલીસે સમગ્ર મામલે પરીણિતાની ફરિયાદના આધારે તપાસ કરી ભુવા સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Feb 11, 2026 04:21 pm
તમામ રાજ્યોના સહકાર મંત્રીની રાષ્ટ્રીય પરિષદ આગામી 17-18 ફેબ્રુઆરીએ ગુજરાતમાં યોજાશે. મહાત્મા મંદિર ખાતે સહકારી ક્ષેત્રની મંત્રણાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ પરિષદનું ઉદ્ઘાટન કરશે. સહકાર મંત્રાલયે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે.
Feb 11, 2026 04:11 pm
ગુજરાતમાં આગામી સમયમાં વસતી ગણતરી યોજવામાં આવશે. આ વસતી ગણતરી કરવા માટે સરકાર દ્વારા કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ખાસ કરીને શિક્ષકોને કામગીરી સોંપવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજાએ કહ્યું હતું કે, આ પ્રકારની કામગીરીથી શૈક્ષણિક કાર્ય પર અસર થશે. વસતી ગણતરીની કામગીરી અન્ય એજન્સી પાસે કરાવો.
Feb 11, 2026 03:57 pm
અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે દરોડા પાડીને આ કૌભાંડ ઝડપી લીધું હતું. પાલિકા પ્રમુખ ભાવેશ કાયસ્થે જણાવ્યું હતું કે, જે કોન્ટ્રાક્ટરને પ્રદૂષણ દૂર કરવા માટે પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેણે જ જમીન અને પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કર્યા હતાં. શંકા ના જાય તે માટે વેસ્ટ સેગ્રીગેશન સાઈટ સુકાવલીને અડીને રસ્તો કાઢી અવાવરૂ ખાડીમાં વેસ્ટ ધરબી દેવાયો હતો. અંકલેશ્વર પાલિકાએ આ કૌભાંડ કરનારા કૌન્ટ્રાક્ટરનું 95 લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું હતું. કોન્ટ્રાક્ટરે લેખિત પત્ર સાથે કબૂલાત કરી કચરો હટાવવાની બાંહેધી આપી બચવાનો પ્રયાસ કર્યો હતો.
Feb 11, 2026 03:46 pm
જિલ્લામાં ટાઇફોઇડના 13 જેટલા એક્ટિવ કેસ, મીઠાપુર વિસ્તારમાં ટાઇફોઇડના સૌથી વધુ કેસ, ટાઇફોઇડના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ.
Feb 11, 2026 03:45 pm
વડોદરા પશ્ચિમ રેલવે વિભાગે ઓવરબ્રિજને આપી મંજૂરી, રાજ્ય સરકાર તરફથી બનાવવામાં આવશે બ્રિજ, જનરલ એરેન્જમેન્ટ ડ્રોઇગની મંજૂરી બાદ કામગીરી શરૂ થશે.
Feb 11, 2026 03:40 pm
વસ્તી ગણતરી કરવા માટે જવાબદારી નક્કી થઇ, 700 લોકોની વસ્તી માટે એક ગણતરીદાર હશે, કામગીરી સોંપવાની સત્તા કલેક્ટરની રહેશે, તાલુકા સ્તરે અલગ-અલગ અધિકારીની જવાબદારી, સેન્સસ ફંકશનરીઝ માટે બે ગેઝેટ બહાર પાડ્યા, શહેરી વિસ્તારમાં સત્તા મનપા કમિશનરને સોંપાઇ, મનપામાં વોર્ડ સ્તર સુધી અધિકારી નિયુક્ત થશે, કર્મચારીઓને બે-ત્રણ વખત તાલીમ અપાશે, વસ્તી ગણતરી એ ભારત દેશ માટે મોટી કવાયત.
Feb 11, 2026 03:35 pm
દેવરીયામાં એક સમાજના બે પરિવાર વચ્ચે મારામારી, લોકોના ટોળા પર કાર ચઢાવવાનો યુવકે કર્યો પ્રયાસ, કાર ચલાવનાર યુવકને સમજાવવા જતા મામલો બિચક્યો, મામલો ઉગ્ર બનતા ધારિયા-બેટ વડે કરી મારામારી, લખતર પોલીસ સ્ટેશન બે ભાઈ સામે નોંધાઈ ફરિયાદ.
Feb 11, 2026 03:26 pm
કેન્દ્રીય મંત્રી રિજીજુ લાવશે પ્રિવિલેજ નોટિસ, ગૃહને ગુમરાહ કરવાના ગંભીર આક્ષેપો થયા, PM પર ખોટા આરોપોનો વિવાદ, દિલ્હી સંસદ ભવનમાં હંગામો મચ્યો, રાહુલ ગાંધીને પુરાવા રજૂ કરવા પડકાર ફેંકાયો.
Feb 11, 2026 03:16 pm
01-ટ્રેન નંબર 01920 અસારવા–આગ્રા કેન્ટ સ્પેશલ 02 માર્ચથી 30 માર્ચ 2026 સુધી (મંગળવાર અને બુધવાર સિવાય) અસારવાથી દરરોજ 14.50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 07.45 વાગ્યે આગ્રા કેન્ટ પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ–અસારવા સ્પેશલ 01 માર્ચથી 29 માર્ચ 2026 સુધી (સોમવાર અને મંગળવાર સિવાય) આગ્રા કેન્ટથી દરરોજ 18.10 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 11.10 વાગ્યે અસારવા પહોંચશે.
02-માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, સેમારી, જાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપ નગર, માવલી, ચંદેરિયા, માંડલ ગઢ, બૂંદી, કેશોરાય પાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, રૂપબાસ અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટિયર, સ્લીપર તથા સામાન્ય શ્રેણીના કોચ રહેશે.
Feb 11, 2026 03:15 pm
પશ્ચિમ રેલવે દ્વારા આગામી ફેસ્ટિવલ સીઝન દરમિયાન મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સ્પેશલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નં. 01920ની બુકિંગ 11 ફેબ્રુઆરી 2026 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Feb 11, 2026 03:11 pm
આ હેલ્પલાઇન પર એક્સપર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજિસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. રાજ્યનાં તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શાળાઓને આ હેલ્પલાઇનનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર : ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ રહેશે અને તે સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે, તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના સચિવ દ્વારા જણાવવામાં આવ્યું છે.
Feb 11, 2026 03:11 pm
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી / માર્ચ–૨૦૨૬માં લેવાતી ધોરણ–૧૦ તથા ધોરણ–૧૨ની મુખ્ય જાહેર પરીક્ષાનાં અનુસંધાને વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આગામી ૨૬ ફેબ્રુઆરી–૨૦૨૬થી શરૂ થતી બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત શંકાઓ, પ્રશ્નો ,માનસિક તણાવ અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટે સહાય મળી રહે તે માટે આ હેલ્પલાઇન નં.૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ તા. ૧૨/૦૨/૨૦૨૬ થી તા. ૧૮/૦૩/૨૦૨૬ દરમ્યાન કાર્યરત રહેશે.
Feb 11, 2026 02:59 pm
આ પ્રણાલી પરંપરાગત BOXN લોડિંગની સરખામણીએ ઘણા લાભો આપે છે. તેમાં વેગનની મેન્યુઅલ સફાઈ કરવાની જરૂર પડતી નથી, તિરપાળ લાઇનિંગ/કોટિંગની જરૂરિયાત સમાપ્ત થાય છે, લોડિંગ અને અનલોડિંગનો સમય નોંધપાત્ર રીતે ઓછો થાય છે, માલમાં મિલાવટ અને અપવ્યય ન્યૂનતમ રહે છે તેમજ વેગનોનો ટર્નઅરાઉન્ડ સમય વધુ સારો બને છે. આથી પરિચાલન કાર્યક્ષમતા અને યાંત્રિકીકરણને પ્રોત્સાહન મળે છે મીઠા જેવા સુકા થોક માલના પરિવહન માટે સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરોનો આ ઉપયોગ વિશ્વ સ્તરે પોતાની જાતનો પ્રથમ પ્રયાસ છે, જે ભારતીય રેલમાં કન્ટેનર આધારિત થોક લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં એક મોટી નવીન પહેલ છે.
Feb 11, 2026 02:59 pm
• સુરક્ષિત અને ક્ષયમુક્ત પરિવહન
• ઝડપી લોડિંગ અને અનલોડિંગ પ્રક્રિયા
• પ્રદૂષણ-મુક્ત અને સ્વચ્છ હેન્ડલિંગ
• ઓછો ટર્નઅરાઉન્ડ સમય અને વધુ સારી લોજિસ્ટિક કાર્યક્ષમતા
Feb 11, 2026 02:58 pm
આથી સંવેદનશીલ થોક માલનું સુરક્ષિત અને સ્વચ્છ પરિવહન શક્ય બનશે તેમજ ઉદ્યોગોને ઝડપી, વિશ્વસનીય અને પર્યાવરણ અનુકૂળ ફ્રેટ સોલ્યુશન્સ મળશે. પશ્ચિમ રેલવે ‘ફ્રેટ ઑન રેલ’ને પ્રોત્સાહન આપવા માટે ભવિષ્યમાં આવી નવીન પહેલો નિરંતર આગળ વધતી રહેશે. ઝડપી અને અત્યંત કુશળ પરીક્ષણ આ પરીક્ષણ (ટ્રાયલ) દરમિયાન 34.2 ટન ઔદ્યોગિક મીઠાનું લોડિંગ માત્ર 15 મિનિટમાં પૂર્ણ થયું, જ્યારે અનલોડિંગ માત્ર 5 મિનિટમાં કરવામાં આવ્યું. આ સિદ્ધિ રેલવે ફ્રેટ લોજિસ્ટિક્સમાં ઝડપી ટર્નઅરાઉન્ડ સમય અને ઉચ્ચ પરિચાલન દક્ષતા દર્શાવે છે. લોડિંગ કાર્ય કડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ) નજીક આવેલા વે-બ્રિજ (Weigh Bridge) પર સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું.
Feb 11, 2026 02:57 pm
પશ્ચિમ રેલવેના ગાંધીધામ ક્ષેત્રેએ માલ પરિવહન ક્ષેત્રમા એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. વિશ્વમાં પ્રથમ વખત ભારતીય રેલવે દ્વારા સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરમાં ઔદ્યોગિક મીઠાનું સફળ લોડિંગ ગાંધીધામના નીલકંઠ ઝોનમાંથી કરવામાં આવ્યું છે. આ નવીન પહેલ ઔદ્યોગિક થોક માલના સુરક્ષિત, સ્વચ્છ અને ઉચ્ચ કાર્યક્ષમ પરિવહન દિશામાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થઈ છે. માનનીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએ x પર પોસ્ટ કરીને આ નવીન પહેલની પ્રશંસા કરી. આ અવસરે અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) એજણાવ્યું કે સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરમાં ઔદ્યોગિક મીઠાનું આ સફળ પરીક્ષણ ભારતીય રેલવેની નવીનતા આધારિત લોજિસ્ટિક્સ રણનીતિનું ઉત્તમ ઉદાહરણ છે.
Feb 11, 2026 02:48 pm
30 કિલોથી વધુ ગાંજાના હેરાફેરી કેસમાં કોર્ટનો ચુકાદો, આરોપી અબ્દુલ શેખ, નોમાન શેખને 15 વર્ષની સજા, સુનિલ મલિક, સુશાંત બિશ્વાલને 15 વર્ષની સજા, 15 સાક્ષી, દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટે ફટકારી સજા, ડ્રગ્સની હેરાફેરી અટકાવવા દોષિતોને બક્ષી ન શકાયઃ કોર્ટ.
Feb 11, 2026 02:38 pm
કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો, અકસ્માતમાં બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે મોત, ઉમરેઠ પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી.
Feb 11, 2026 02:31 pm
06 - Entertainment : “હું મારો ધર્મ બદલવા માંગુ છું” રેમો ડિસોઝાનો મોટો ખુલાસો!
07 - આજે ભારત દેશની ચોથી અર્થવ્યવસ્થા, વિપક્ષ દેશની પ્રગત્તિથી ખુશ નથી: અનુરાગ ઠાકુર
08 - Jaipur : ગુગલ મેપ્સથી પોશ વિસ્તાર શોધી 25 લાખની ચોરી! જાણો આખો મામલો
09 - SA vs AFG : અમદાવાદના મેદાનમાં ક્વિન્ટન ડી કોકે એક જ મેચમાં દિગ્ગજોના બે મોટા રેકોર્ડ તોડ્યા
10 - Euphoria Film : ધુરંધરમાં રણવીર સિંહની હિરોઈન સારા અર્જુનની 'યુફોરિયા' ફિલ્મ રિલીઝ
Feb 11, 2026 02:24 pm
રાજકોટમાં થયેલ 140 કિલો ચાંદીની ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની તપાસમાં થયો મોટો ખુલાસો થયો છે જેમાં અમદાવાદના વકીલ વિક્રમ રાજપૂતની સંડોવણી સામે આવી છે. વકિલે ચોરીનું ચાંદી ગાળવા માંગુસિંહને આપ્યું હતું અને મુકેશ પ્રજાપતિ પાસેથી ચાંદી મેળવી માંગુસિંહને આપ્યું હતુ, માંગુસિંહ, પ્રદિપ પ્રજાપતિ પાસેથી 80 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે, અને મુખ્ય સૂત્રધારની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે, સાથે સાથે કુલ 4 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરાઈ છે.
Feb 11, 2026 02:10 pm
20 કિલો ડુંગળીનો ભાવ રુ. 80થી લઇ રુ. 320 પહોંચ્યા, ગોંડલ યાર્ડમાં 20 કિલો ડુંગળીનો ભાવ 50 થી 250 રૂપિયા, ડુંગળીના ભાવ ગગડતા એક્સપોર્ટ ઉપર બ્રેક વાગી, લાલપત્તી ડુંગળીનું આ વર્ષે મબલખ ઉત્પાદનઃ વેપારી, ‘ઓછા ભાવ હોવાથી ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી’, ‘ભાવ તળિયે હોવાથી ખેડૂતોને ખર્ચ પણ નીકાળવો મુશ્કેલ’ ડુંગળીની નિકાસ બંધ હોવાથી વેપારીઓને પણ નુકસાન.
Feb 11, 2026 02:03 pm
આણંદમાં લગ્નમાં વર-કન્યા પક્ષ વચ્ચે પથ્થરમારો થયો છે અને લગ્ન પૂર્ણ થયા બાદ લેવડ-દેવડમાં મામલો બિચકાયો હતો, સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. આણંદમાં લગ્ન પૂર્ણ થયા બાદ વર-કન્યા પક્ષે મારામારીની ઘટના બની હતી જેમાં લાકડીઓ, ખુરશીઓ વડે એકબીજા પર મારામારી કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં બંન્ને પક્ષના 8થી વધુ લોકો પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયા હતા.
Feb 11, 2026 01:30 pm
નોટિસમાં ફેબ્રુઆરી 2025 ની ઘટનાનો 4 વખત ઉલ્લેખ
જેના કારણે નિયમો અનુસાર બરતરફ કરવામાં આવી શકે
બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ બાદ નોટિસને સૂચિબદ્ધ કરાશે
સુધારેલી નોટિસ મળ્યા પછી તપાસ કરવામાં આવશે
સ્થાપિત નિયમો અનુસાર તપાસ કરાશે : સુત્રો
Feb 11, 2026 01:27 pm
કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા. ૧૩ ફેબ્રુઆરીથી ૦૫ માર્ચ, ૨૦૨૬ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી આધાર ઓથેન્ટીકેશન દ્વારા “ઈ-સમૃધ્ધિ” પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. VCE દ્વારા આ નોંધણી વિનામૂલ્યે કરવામાં આવશે, જેથી ખેડૂતોએ નોંધણી માટે એક પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં.રાજ્યના ચણા અને રાઇ પકવતા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી માટે સત્વરે નોંધણી કરાવી, આ યોજનાનો મહત્તમ લાભ લેવા કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે રવિ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર ચણા માટે રૂ. રૂ. ૫,૮૭૫ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૧૭૫ પ્રતિ મણ) અને રાઇ માટે રૂ. ૬,૨૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૨૪૦ પ્રતિ મણ) ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
Feb 11, 2026 01:27 pm
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં ચણા અને રાઇ પાકોની ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને આ માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન પણ કરાશે.
Feb 11, 2026 01:17 pm
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મહિલા વ્યાજખોરે વ્યાજ પણ લીધુ અને રૂપિયા ચૂકવાઈ ગયા તેમ છત્તા વ્યાજ લેવાનું ચાલુ રાખ્યું હતુ, ભાવિનીબેન પટેલ નામની યુવતીને જાન્યુઆરી-2025માં નાણાંની જરૂર પડી હતી. તેણે વલસાડના નનકવાડા વિસ્તારમાં રહેતી નિલમબેન નિલેશભાઈ સુરતી પાસેથી ₹27,000 રોકડા વ્યાજે લીધા હતા. આ રકમ પર માસિક 33 ટકા જેવું તોતિંગ વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું.
Feb 11, 2026 01:16 pm
પીડિતા ભાવિનીબેન ગણેશભાઈ પટેલ નામની GRD સભ્ય મહિલાએ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદી ભાવિનીને જરૂરિયાત હોવાથી આરોપો નીલમ પાસેથી રૂ. 27,000 વ્યાજે લીધા હતા અને આરોપી નીલમ અગાઉથી જ રૂ. 50,000નો સિક્યુરિટી ચેક પણ લખાવી લીધો હતો અને અને વધુ પૈસા વસુલવા ધમકી આપતાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે વ્યાજખોર મહિલાની ધરપકડ કરી છે.
Feb 11, 2026 01:16 pm
વલસાડમાં મહિલા વ્યાજખોરની પોલીસે કરી ધરપકડ અને 27 હજાર સામે 91 વસૂલવા છતા ધમકી આપી હતી, ફરિયાદીએ આરોપી પાસેથી રુ. 27000 વ્યાજે લીધા હતા. વલસાડમાં મહિલા વ્યાજખોરની ધરપકડ 27 હજાર સામે 91 હજાર વસૂલ્યા છતાં ધમકી આપતી હતી અને વલસાડ સિટી પોલીસે એક મહિલા વ્યાજખોરની ધરપકડ કરી છે. આ મહિલાએ રૂ. 27,000 લોન સામે રૂ. 91,000 વસૂલ્યા હોવા છતાં પીડિતાને વધુ પૈસા માટે ધમકી આપી હતી. પોલીસે આ મામાલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Feb 11, 2026 01:00 pm
વાહનની વેચાણ તારીખ કે વીમા તારીખ પૈકી જે વહેલું હોય તે તારીખથી અને સી.એન.એ. ફોર્મ ભરેલ હોય તેવા જ અરજદારો પસંદગીના નંબર માટે ૬૦ દિવસ સુધી રિ-ઓક્શનમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય મર્યાદા બહારની અરજીઓ રદબાતલ ગણવામાં આવશે, જેની સંબંધિત વાહન માલિકોએ ખાસ નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, સુરેન્દ્રનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.
Feb 11, 2026 01:00 pm
હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તમામ અરજદારોએ તા. ૨૩/૦૨/૨૦૨૬ ના રોજ રિ-ઓક્શનના ફોર્મ સુરેન્દ્રનગર આર.ટી.ઓ. કચેરી ખાતે જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત, જે અરજદારો હરાજીમાં સફળ થશે, તેઓએ બાકી નીકળતી બિડિંગની રકમની રસીદ સાથે દિન-૫ (પાંચ દિવસ)માં કચેરીમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ અથવા અધૂરી વિગતોવાળી અરજીઓ નામંજૂર કરવામાં આવશે.
Feb 11, 2026 12:59 pm
આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે અરજદારોએ સરકારની અધિકૃત વેબસાઇટ http://parivahan.gov.in/fancynumber પર જઈને ઓનલાઇન સી.એન.એ. (CNA) ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે શરૂ થશે અને તા. ૧૯/૦૨/૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૫૯:૫૯ કલાકે પૂર્ણ થશે. ત્યારબાદ, બિડિંગની પ્રક્રિયા તા. ૧૯/૦૨/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે શરૂ થશે અને તા. ૨૧/૦૨/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે પૂર્ણ કરવામાં આવશે.
Feb 11, 2026 12:59 pm
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, સુરેન્દ્રનગરની કચેરી દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે વાહનોના પસંદગીના (ફેન્સી) નંબરની ફાળવણી માટે ઓનલાઇન રિ-ઓક્શન કરવામાં આવનાર છે. આ પ્રક્રિયામાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર અને હેવી વાહનોની જૂની સીરીઝના બાકી રહેલા સિલ્વર અને ગોલ્ડન નંબરો માટે હરાજી કરવામાં આવશે. જે વાહન માલિકો પોતાના વાહન માટે મનપસંદ નંબર મેળવવા ઈચ્છતા હોય, તેઓએ તેમના વાહનની વેચાણ તારીખ અથવા વીમા તારીખ—એ બેમાંથી જે વહેલું હોય તે મુજબના સાત દિવસમાં નોંધણી કરાવવી ફરજિયાત છે.
Feb 11, 2026 12:45 pm
ત્યારબાદ પાછળના ભાગે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં પણ ત્રણ દિવસ પાર્કિંગ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી નહોતી. જે હકીકત ધ્યાને આવતાં પશ્રિમ ઝોનના કોર્પોરેશનના અધિકારીઓની ટીમ સ્થળ મુલાકાત લીધી હતી.
Feb 11, 2026 12:45 pm
અમદાવાદના મેમનગરમાં આવેલી દિવ્યપથ શાળાને અમદાવાદ કોર્પોરેશને દંડ ફટકાર્યો છે, ગેરકાયદે પાર્કિંગ પ્લોટ સ્કૂલે કરતા AMCએ દંડ ફટકાર્યો છે અને સ્કૂલે ફૂટપાથ તોડીને પાર્કિંગ કરતા વિવાદ થયો હતો. પાર્કિંગ તરીકે ઉપયોગ કરતા 1 લાખનો દંડ કોર્પોરેશને કર્યો છે, AMC માલિકીના પ્લોટનો પાર્કિંગ તરીકે ઉપયોગ કરાતો હતો. અમદાવાદ શહેરના મેમનગરમાં આવેલી દિવ્યપથ સ્કૂલને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્કૂલ સંચાલકો દ્વારા કોર્પોરેશનની કોઈ પણ પ્રકારની પરવાનગી વિના જાહેર ફૂટપાથ અને રોડને નુકસાન પહોંચાડ્યું હતું.
Feb 11, 2026 12:33 pm
ઇનડોર અને આઉટર રાઈડસ અને વિવિધ આકર્ષણ ઉપરાંત એક મહાકાય વિશાળ ચકડોળ ઊભું કરવામાં આવશે.આ ચકડોળ દ્વારા લોકો રિવરફ્રન્ટ અને શહેરનો નજારો માણી શકશે.વિવિધ ગેમ મનોરંજનના સાધનો ઉપરાંત ફૂડ કોર્ટ પણ હશે.આ પ્રોજેક્ટ કંપનીને આરંભમાં 30 વર્ષના ભાડાપટ્ટે અપાશે અને ત્યારબાદ કંપનીની કામગીરી સંતોષકારક જણાશે તો ભાડા પટ્ટાની મુદતમાં વધારો કરવામાં આવશે.ભાડાપેટે દર વર્ષે કંપની દ્વારા AMCને રૂપિયા 45 થી 65 લાખ ભાડુ ચૂકવવામાં આવશે અને તેમાં દર વર્ષે 10% નો વધારો કરાશે. બે વર્ષમાં આ પાર્ક તૈયાર કરવામાં આવશે.
Feb 11, 2026 12:33 pm
રિવરફ્રન્ટ શહેરીજનો અને બહારથી આવતા લોકો માટે ફરવાનું હોસ્ટ સ્પોટ બની ગયું છે. રિવરફ્રન્ટ પર રિવરક્રૂઝ, વોટર એક્ટિવિટી, ફ્લાવર પાર્ક, અટલ બ્રિજ સહિતનાં આકર્ષણો છે. ત્યારે હવે વધુ એક નવું આકર્ષણ ઉમેરાશે. અટલ બ્રિજના પૂર્વ છેડે 45 હજાર સ્ક્વેર મીટરમાં રિવરફ્રન્ટ પર વાઈબ્રન્ટ એન્ટરટેઈનમેન્ટ હબ બનાવવામાં આવશે. આ માટે ઈમેજિકા વર્લ્ડ એન્ટરટેઈનમેન્ટ 130 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ એન્ટરટેઈનમેન્ટ હબમાં સ્નો પાર્ક, ફૂડ પ્લાઝા, એમ્ફિ થિયેટર, લંડન આઈ સહિતનાં આકર્ષણ હશે.
Feb 11, 2026 12:32 pm
અમદાવાદ રિવરફ્રન્ટના કાંઠે લંડન આઈ જેવો નજારો જોવા મળશે અને સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ આઇ બનાવાશે, AMCના બજેટમાં કરવામાં આવી જાહેરાતો અને પશ્ચિમ વિસ્તારમાં બોનસાઇ ગાર્ડન બનાવવામાં આવશે. સાબરમતી નદીમાં તરતી સોલાર પેનાલ લગાવાશે અને પ્રથમ વખત Eco-friendly ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ રહેશે, છત અને જમીનના બદલે નદી પર સોલાર પેનલ બનશે અને અંદાજે 50 કરોડના રોકાણ સાથેનો પ્રોજેક્ટ હશે.
Feb 11, 2026 12:20 pm
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ આ સંદર્ભે કહ્યું હતું કે, વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલા આ પાળાઓ જમીનનું ધોવાણ અટકાવશે અને રણ વિસ્તારમાં ભેજનું પ્રમાણ જાળવી રાખશે. શુષ્ક અને અર્ધ-શુષ્ક વિસ્તારોમાં હવામાન પરિવર્તન સામે ટકી રહેવા માટે આ કામગીરી ખૂબ જ મહત્વની સાબિત થશે, જે લાંબા ગાળે જૈવવૈવિધ્ય અને પર્યાવરણીય સંતુલન સુધારવામાં મદદરૂપ થશે. આમ, આ આયોજનથી કચ્છના નાના રણની ઓળખ વધુ સમૃદ્ધ અને પર્યાવરણ પ્રેમી પ્રવાસન ક્ષેત્ર તરીકે પણ ઊભરી આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
Feb 11, 2026 12:20 pm
આગામી બીજા-ત્રીજા વર્ષથી આ પાણી પીવાલાયક બની જશે, જે રણના શુષ્ક વાતાવરણમાં જીવસૃષ્ટિ માટે ‘અમૃત’ સમાન સાબિત થશે. મંત્રી શ્રી મોઢવાડીયાએ ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટ માત્ર પાણી બચાવવા પૂરતો નથી, પરંતુ કચ્છના રણમાં એક સંપૂર્ણ ઇકો સિસ્ટમ વિકસાવવાનો પ્રયાસ છે. અહી માટીમાં ભેજનું પ્રમાણ વધવાથી જમીનની ફળદ્રુપતા સુધરશે અને વિવિધ સ્થાનિક ઘાસનો કુદરતી રીતે વિકાસ થશે. જેના પરિણામે વધુ ઘાસચારો ઉપલબ્ધ થશે, તૃણહારી પ્રાણીઓને પૂરતો ખોરાક મળશે અને તેમની સંખ્યામાં સતત વૃદ્ધિ થશે. આ આયોજનથી તળાવ અને જળાશયો એ વન્યજીવો, સ્થાનિક પક્ષીઓ અને દેશ-વિદેશથી આવતા યાયાવર પક્ષીઓ માટે ઉત્તમ આવાસ સાબિતરૂપ થશે. આ ઉપરાંત તળાવની વચ્ચે બનાવવામાં આવેલા 'માઉન્ટ' – ટેકરા પક્ષીઓ-પ્રાણીઓ માટે સુરક્ષિત અને આરામદાયક વિશ્રામ સ્થાન બની રહેશે.
Feb 11, 2026 12:20 pm
મંત્રી મોઢવાડીયાએ વિગતો આપતા કહ્યું હતું કે, કચ્છના નાના રણ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ, સંવર્ધન તેમજ પર્યાવરણીય સંતુલન જાળવવા માટે માટી-ભેજ સંરક્ષણ સંબંધિત કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે આશરે એક કિ.મી.ના વિસ્તારમાં ત્રણ જેટલા ખાસ પ્રકારના પાળા તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં ભવિષ્યમાં વધારો કરવામાં આવશે. આ કામગીરીના પરિણામે ચોમાસામાં વહી જતા આશરે ૧.૩૫ કરોડ લિટર વરસાદી પાણીનો સંગ્રહ થશે, જેથી શિયાળા સુધી વન્યપ્રાણીઓને કુદરતી રીતે પીવાનું પાણી મળી રહેશે.
Feb 11, 2026 12:19 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગ દ્વારા નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શુષ્ક વાતાવરણ માટે જાણીતા આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરી, જમીનનું ધોવાણ અટકાવી તેમજ વન્યપ્રાણીઓ-પક્ષીઓ માટે આવાસની ગુણવત્તા સુધારવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું.
Feb 11, 2026 12:10 pm
ભાજપ સાંસદ મયંક નાયકની રાજ્યસભામાં માગ, દિલ્હીનો હાલનો રુટ અમદાવાદથી રાજધાની એક્સપ્રેસ, ગાંધીનગરથી વંદે ભારત સ્લીપર ટ્રેન શરુ કરવા માગ, હિંમનગર,શામળાજી,ઉદયપુરથી ટ્રેન લઇ જવા માગ, ‘આદિવાસીઓ જ નહી વ્યવસાયકારોને પણ ફાયદો થશે’.
Feb 11, 2026 12:09 pm
કોંગ્રેસના સાંસદોએ સ્પીકર સાથે દુર્વ્યવહાર કર્યોઃ રિજીજૂ, સ્પીકર ખૂબ જ નરમ સ્વભાવના વ્યક્તિઃ રિજીજૂ, કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને ગાળો આપીઃ રિજીજૂ, સાંસદો લડવા માટે ઉશ્કેરી રહ્યા હતાઃ રિજીજૂ
Feb 11, 2026 11:58 am
ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધાયો હતો અને પોલીસ આ કેસમાં આરોપીને શોધી રહી હતી પરંતુ મળ્યો ન હતો આરોપી, ત્યારે આખરે પોલીસને બાતમી મળી હતી કે, નયના બારૈયા કે જે પોલીસ કોન્સ્ટેબલ છે અને હાલમાં તેઓ સસ્પેન્ડ છે અને તેના ઘરે આરોપીને આશરો આપ્યો હોવાની વાત સામે આવી છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નયના બારૈયા ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથક અને AHTU પોલીસમાં ફરજ બજાવતી હતી.
Feb 11, 2026 11:57 am
ગંભીર હાલતમાં નયના બારૈયાને હોસ્પિટલ ખસેડાયા છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ભાવનગરના DYSP રીમા ઝાલા ત્રાસ આપતા હોવાનો આક્ષેપ વીડિયોમાં કર્યો છે, ખોટા કેસ કરતા હોવાના નયના બારૈયાનો વીડિયોમાં આક્ષેપ છે અને DYSP રીમા ઝાલ પર ગુનો દાખલ કરવા નયનાના ભાઇની માગ છે.
Feb 11, 2026 11:57 am
ભાવનગરના સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલે બોટાદમાં આપઘાતનો પ્રયાસ કર્યો છે, ખાનગી ગેસ્ટ હાઉસમાં દવા પી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. નયના બારૈયાએ બોટાદમાં આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે અને ખાનગી ગેસ્ટહાઉસમાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે, આપઘાત પહેલા નયનાએ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો જેમાં તે કહી રહ્યાં છે, કે ડીવાયએસપી રીમા ઝાલાના ત્રાસના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો છે.
Feb 11, 2026 11:33 am
મહારાષ્ટ્રના પાલઘરના ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ, મુંબઇથી ઉડાન ભર્યા બાદ ટેકનિકલ ખામી સર્જાઇ, હેલિકોપ્ટરમાં સવાર 4 વ્યક્તિ સુરક્ષિત.
Feb 11, 2026 11:32 am
03 - Junagadh News : જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ, હજારો ભકતો પહોંચ્યા દાદાના દર્શને
05 - Surat News : સુરતમાં ગેસ લીકેજથી એક જ પરિવારના 3 લોકોના મોત, ગિઝરનો ગેસ લીકેજ થતા બની ઘટના
07 - Russian oil પર ભારતની બ્રેક? યુએસ ટ્રેડ ચીફે ઓઇલ ખરીદી અને ટેરિફ અંગે કર્યો મોટો ખુલાસો
08 - T20 World Cup 2026: અભિષેક શર્માનો તૂટયો વર્લ્ડ રેકોર્ડ, આ બેટ્સમેને 44 બોલ રમીને ઇતિહાસ રચ્યો
09 - Jammu Kashmir : 11 થી 14 ફેબ્રુઆરી સુધી જમ્મુ કાશ્મીરમાં હાઇ એલર્ટ, જાણો કેમ ?
10 - T20 WC 2026 : ભારત સામે પાકિસ્તાનને ફાયદો થશે! ભારતીય કોચનું ચોંકાવનારું નિવેદન
Feb 11, 2026 11:24 am
આશાવર્કર,આંગણવડીની બહેનો જોડાશે વિરોધમાં, બેન્ક કર્મીઓની હડતાળની જાહેરાતને પણ ટેકો જાહેર, શહેરમાં એક સાથે ભેગા થઈ વિરોધ અને રેલી કરશે, સરકાર સામે પડતર માગોને લઈ કર્મચારીઓ મેદાને, આશ્રમ રોડ ખાતે માનવ સાંકળ બનાવી કરશે વિરોધ.
Feb 11, 2026 11:18 am
આ ઉપરાંત રાત્રે સુવામાં મચ્છરદાનીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. દિવસે બહાર નીકળો ત્યારે સંપૂર્ણ શરીર ઢંકાય તેવાં કપડાં અને બૂટ મોજા પહેરવાથી મચ્છરના ડંખથી બચી શકાય છે. વધુમાં નકામો કચરો, ભંગાર, પ્લાસ્ટિક અને પક્ષિકુંજનો વરસાદ પહેલાં યોગ્ય નિકાલ કરો જેથી પાણી ભરાશે નહિ અને મચ્છર થશે નહિ, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
Feb 11, 2026 11:18 am
આ ઉપરાંત મચ્છરજન્ય બીમારી જેવી કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાથી બચવાના ઉપાય વિશે પણ આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત તળાવ, નદી નાળાં, હવાડા, કેનાલમાં પાણી ભરાયેલ હોય તો તેમાં ગપ્પી માછલી નાખવી જેથી કરીને તેનાં થકી મચ્છરના પોરાનો નાશ કરી શકાશે. અઠવાડિયામાં એક વાર ઘરની આસપાસ, ઘરની અંદર અને ધાબામાં ભરાયેલા પાણીને ખાલી કરવાનું અને ઘર વપરાશના પાણી ભરેલ પાત્રોને અઠવાડિયામાં એક વાર ખાલી કરી, સુકવી ફરી ભરવા માટે જણાવવામાં આવી રહ્યું છે.
Feb 11, 2026 11:17 am
સુરતના કતારગામમાં 5 વર્ષની બાળકીનું મોત થયું છે અને બાળકીનું શરીદ, ખાંસી અને તાવના કારણે મોત થયું છે, છેલ્લા 8 દિવસથી બાળકીને શરદી, ખાંસી, તાવ આવ્યો હતો અને તબિયત વધુ બગડતા હોસ્પિટલ ખસેડાઇ હતી. કતારગામ વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીનું શરદી ખાંસી અને તાવના કારણે મોત થયું છે અને પાંચ વર્ષથી પૂજા છેલ્લા 8 દિવસથી શરદી ખાંસી અને તાવની બીમારી હતી, અને તે ઉપરાંત અછબડા પણ થયા હતા, પરિવારે બાળકીને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી દવા લીધી હતી અને ગતરોજ બાળકીની તબિયત વધુ ખરાબ થતા તે બેભાન થઈ ગઈ હતી. જેથી પરિવાર એ બાળકીને લઈ નવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે પહોંચ્યું હતું જ્યાં ફરજ પરના ડોક્ટરો બાળકીને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી.
Feb 11, 2026 11:06 am
કડો ટન વેસ્ટ નિકાલ કરવાના સ્થાને ખાડામાં ફેંકાયો, નપા પ્રમુખ, કારોબારી ચેરમેને કૌભાંડ ઝડપી પાડ્યું, કોન્ટ્રાકટર દ્વારા જમીન, પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કરાયા, શંકા ન જાય તે માટે રસ્તો કાઢી વેસ્ટ ખાડામાં ફેંકાયો, પાલિકાએ કોન્ટ્રાક્ટરનું 95 લાખનું પેમેન્ટ અટકાવ્યું, કોન્ટ્રાકટરે કચરો હટાવવાની બાંયેધરી આપી.
Feb 11, 2026 11:06 am
અરજીમાં નિષ્પક્ષ તપાસની માગ કરવામાં આવી, AAIB ના અહેવાલને પસંદગીયુક્ત ગણાવવામાં આવ્યો, વિમાન દુર્ઘટના કેસની તપાસ AAIB પાસે, વિમાન દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા.
Feb 11, 2026 11:05 am
પ્રોહિબિશન રેડ દરમિયાન પોલીસ પર હુમલો કરાયો, છ લોકોએ હુમલો કરતા ASI સિરાજ શેખને ઇજા, શર્ટનું કોલર ફાડી નાખી મારી નાખવાની ધમકી આપી, છ આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ.
Feb 11, 2026 10:31 am
આગ લાગવાનું ચૌક્કસ કારણ સામે આવ્યું નથી, અને ઘટનામાં એક વ્યકિત ઈજાગ્રસ્ત થયો છે, પોલીસે સમગ્ર ઘટનમાં જાણવાજોગ ફરિયાદ નોંધી છે, બચાવ કરાયેલા તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર છે.
Feb 11, 2026 10:30 am
રાજકોટના જસદણમાં વહેલી સવારે મકાનમાં આગ લાગી હતી અને આગ લાગતા દોડધામ મચી હતી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલી દુકાનમાં આ આગ લાગી હતી અને એક કંપનીમાં કામ કરતા 6 વ્યકિત ત્યાં રહેતા હતા, આગ એટલી વધુ હતી કે ધુમાડાના કારણે લોકો બહાર નીકળી શકયા ન હતા.
Feb 11, 2026 10:30 am
રાજકોટના જસદણમાં વહેલી સવારે મકાનમાં આગ લાગી હતી અને ફાયર વિભાગે રેસ્કયું કરીને 5 થી 6 લોકોનો જીવ બચાવ્યા હતા, સમગ્ર ઘટનામાં 1 વ્યકિત ઈજાગ્રસ્ત થયો હતો. રાજકોટના જસદણમાં મકાનમાં આગ લાગી હતી અને શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે, ફાયર ટીમે 5થી 6 લોકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા અને મકાનમાં આગ લાગતા નાસભાગ મચી હતી, આગમાં એક વ્યક્તિને બંને હાથે ઇજા પહોંચી છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
Feb 11, 2026 10:20 am
રાજુ કરપડાએ AAP માંથી રાજીનામું આપ્યું, રાજીનામું આપવા પાછળ વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ, પાર્ટીનો આભાર માની રાજુ કરપડાએ આપ્યું રાજીનામું, 2021 - 22માં જોડાયા હતા આમ આદમી પાર્ટીમાં, 2022માં સુરેન્દ્રનગરથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, બોટાદ AAPની સભામાં પથ્થરમારા બાદ ચર્ચામાં આવ્યા હતા, આપના કિસાન સેલ સાથે જોડાયેલા હતા કરપડા.
Feb 11, 2026 10:04 am
આરોપીઓના ગેરકાયદે વીજ જોડાણ કાપી નખાયા, તંત્રએ 6 આરોપીઓના ગેરકાયદે વીજજોડાણ કાપ્યા, ગેરકાયદે વીજ વપરાશને પગલે 6.20 લાખનો દંડ, 6 આરોપીઓ વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા.
Feb 11, 2026 10:00 am
કોટ વિસ્તારમાં જમીનથી નીચે 12 મીટર કામગીરી, ધ્રુજારી થતા આસપાસની મિલકતો ખાલી કરાવી હતી, મેટ્રો પ્રોજેક્ટમાં મહત્વની કામગીરી પૂર્ણ થઇ.
Feb 11, 2026 09:57 am
પાર્કિંગ સ્થળોએથી ખાસ કરીને દિવ્યાંગોને મેળામાં લઇ જવા માટે ર૫ જેટલી રીક્ષાઓથી નિ:શુલ્ક ૫રીવહનની સુવિધા પુરી પાડવાનું આયોજન કર્યું છે.સ્થાનિક તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સુરક્ષા માટે બેરીકેટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાશિવરાત્રીની રાત્રે યોજાનારી સાધુ-સંતોની શાહી રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે. 'અતિથિ દેવો ભવ:'ની ભાવના સાથે રાજ્ય સરકાર મહાશિવરાત્રી મેળાને ભક્તિ, શક્તિ અને સુવિધાનો ત્રિવેણી સંગમ બનાવી શ્રદ્ધાળુઓને આવકારવા સંપૂર્ણ સજ્જ છે.
Feb 11, 2026 09:57 am
આ ઉપરાંત, મેળા દરમિયાન કુલ ૧૧૮ હંગામી ટોયલેટ તેમજ ભવનાથ વિસ્તારમાં ૬ મોબાઇલ ટોયલેટની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જેમાં ભાઈઓ અને બહેનો માટે અલગ વ્યવસ્થા અને ૨૪*૭ હાઉસકીપિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ પાર્કિંગના તમામ સ્થળોએ ફ્લડ લાઈટ, સેનિટેશન, સફાઈ, પીવાના પાણીની વ્યવસ્થા, રાઉન્ડ ઘી ક્લોક પોલીસ બંદોબસ્ત રહેશે. આ માટે જિલ્લા કક્ષાએ પાર્કિંગ સમિતિની રચના કરવામાં આવી છે. આ પાર્કિંગથી મુખ્ય બે પોઇન્ટ ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી શ્રદ્ધાળુઓ ભવનાથ તરફ પ્રસ્થાન કરશે.
Feb 11, 2026 09:57 am
આ ઉપરાંત સમગ્ર મેળા વિસ્તારમાં ભગવાન શંકરના કલાત્મક ચિત્રો પણ કંડારવામાં આવ્યા છે. ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના રસ્તા ઉપર સુશોભન અને લાઇટિંગ પણ કરવામાં આવી છે. ભવનાથ અને તેની આસપાસના વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા માટે વિવિધ આધુનિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આ અંતર્ગત, પીવાના શુદ્ધ પાણી માટે ભવનાથમાં ૧૪૦ પરબની વ્યવસ્થા કરાઈ છે. પર્યાવરણની જાળવણી માટે ૧૦ બોટલ ક્રશર મશીન અને કોઈપણ તબીબી જરૂરિયાતને પહોંચી વળવા માટે ૨૮ મેડિકલ સુવિધા કાઉન્ટર્સ પણ કાર્યરત કરવામાં આવ્યા છે.
Feb 11, 2026 09:57 am
મેળામાં આવતા નાગરીકોના વાહનોના વ્યવસ્થાપન માટે ઉ૫રકોટ, પાંજરાપોળ, વાઘેશ્વરી મંદિર, જેવા ૨૫ અલગ-અલગ સ્થળોએ વિશાળ પાર્કિંગ પ્લોટ્સ બનાવવામાં આવ્યા છે. નાગરીકોના વાહનોની સુરક્ષા માટે દરેક પાર્કિંગમાં સીસીટીવી કેમેરા, પીવાનું પાણી અને શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળાના માર્ગો અને મંદિરોને વધુ ભક્તિમય બનાવવામાં આવશે. જેમાં સમગ્ર ભવનાથ મેળા વિસ્તારને ‘ભગવાન ભોલેનાથ’ની થીમ પર શણગાર કરવામાં આવશે. ભવનાથ મંદિરનું ફૂલોથી સુશોભન અને સમગ્ર રવેડી રૂટ પર આકર્ષક રોશની કરવામાં આવશે. ભવનાથ મંદિર, અખાડાઓ, દામોદર કુંડ અને ૬ મુખ્ય પ્રવેશદ્વારોને આકર્ષક રોશનીથી ઝળહળતા કરવામાં આવશે.
Feb 11, 2026 09:56 am
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોના રાત્રિ રોકાણને આરામદાયક બનાવવા માટે ૮૦૦-૮૫૦ ભાવિકોની ક્ષમતાં ધરાવતો વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ભાવિકો માટે ૨,૦૦૦ ચો.મી.માં ફેલાયેલા આ ડોમમાં ૭૦૦ પલંગ અને ૧૫૦ ફ્લોર બેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે તેમને ૨૪*૭ હાઉસકીપિંગ, મેડિકલ સહાય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે અલગ લગેજ રેક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
Feb 11, 2026 09:56 am
જૂનાગઢના સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને દીપાવવા માટે આ વર્ષે પ્રથમવાર ભવ્ય 'ડમરુ યાત્રા'નું આયોજન કરાયું છે જેમાં, નાયબ મુખ્યમંત્રી પણ સહભાગી થશે. ઇતિહાસમાં પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે. આ ભવ્ય ડમરુ યાત્રા મેળાના પ્રથમ દિવસે, એટલે કે ૧૧મી ફેબ્રુઆરીના રોજ સાંજે ૭:૦૦ કલાકે ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થઈ ભવનાથ મંદિર સુધીના અંદાજિત ૪૦૦ મીટરના માર્ગ પર ભક્તિમય માહોલમાં નીકળશે. યાત્રાના સમાપન બાદ ભવનાથ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
Feb 11, 2026 09:56 am
દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ 'મહાશિવરાત્રી મેળો' યોજાશે. આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થયો છે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
Feb 11, 2026 09:46 am
ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વ્યાપક ઉત્પાદન શિયાળામાં થાય છે, ત્યારે મહુવા અને તળાજા પંથકમાં વધારે ડુંગળીનું ઉત્પાદન થાય છે, વર્ષ 2025-26માં ખરીફ પાકમાં 1642 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું. જ્યારે રવિ શિયાળુ સીઝનમાં 26,372 હેક્ટરમાં આ વાવેતર નોંધાવા પામ્યું છે જેની ઉપજ હાલ ઉતરી રહી છે અને મેડામાં સંગ્રહીત પણ કરવામાં આવી રહી છે.
Feb 11, 2026 09:46 am
ડુંગળીનો ભાવ 100 થી 190 રૂપિયા જેવો જોવા મળ્યો છે અને ડુંગળીના ભાવમાં 60 રૂપિયા જેવો જોવા મળ્યો ઘટાડો, ખેડૂતોનું કહેવું છે કે, જે રીતે ડુંગળીનું ઉત્પાદન છે તેની સામે ભાવ મળતો નથી એટલે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ડુંગળીનો બજારમાં પણ છૂટક ભાવ ઓછો છે, સારૂ વાવેતર થયું પણ ભાવ મળતા નથી.
Feb 11, 2026 09:45 am
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક નોંધાઈ છે અને માર્કેટિંગ યાર્ડમાં 50,000 ગુણી ડુંગળીની આવક નોંધાઈ છે પણ ખેડૂતોને જોઈએ તે રીતનો ભાવ મળતો નથી. ડુંગળીની આવક થતા ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને ડુંગળીના ભાવ 100થી 190 રૂપિયા નોંધાયો છે. ડુંગળીના ભાવમાં રુ. 60નો ઘટાડો જોવા મળ્યો છે. 3 દિવસના બંધ રહેલા ઉતારા બાદ યાર્ડમાં મોડી રાત્રે ડુંગળીની થઈ આવક અને ડુંગળી ની 50000 ગુણી આવક થતા ભાવમાં પણ જોવા મળ્યો ઘટાડો.
Feb 11, 2026 09:40 am
પ્રતિ કિલો ચાંદીના ભાવમાં રુ. 6 હજારનો વધારો, ચાંદીનો ભાવ વધીને પ્રતિ કિલોએ રુ. 2.58 લાખ, 10 ગ્રામ સોનાના ભાવમાં રુ. 1300નો વધારો, સોનાના ભાવ વધીને પ્રતિ 10 ગ્રામે રુ. 1.58 લાખ.
Feb 11, 2026 09:29 am
આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને ઐતિહાસિક બનવાનો છે ત્યારે લાખઓની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથના દર્શનાર્થે આવશે. શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા માટે કુલ ૧૯૫ વધારાની બસો દોડાવવામાં આવશે. જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી જવા માટે દૈનિક ૮૦ વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. આંતર-જિલ્લા સુવિધા માટે આસપાસના જિલ્લાઓમાંથી આવતા ભક્તો માટે જૂનાગઢ ડિવિઝનની ૬૫ અને અન્ય ડિવિઝનની ૫૦ મળીને કુલ ૧૧૫ એક્સપ્રેસ બસો દોડાવવામાં આવશે. મુસાફરોની સુરક્ષા અને સમયપાલન માટે મેળા દરમિયાન તમામ બસોનું ૨૪*૭ જીપીએસ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે.
Feb 11, 2026 09:28 am
આજથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાનો છે. આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે ૨.૯૧ લાખ મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો, જેને ધ્યાને રાખી આ વર્ષે ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે અંદાજે ૧૯૫ જેટલી વધુ બસમાં ૭૮૦૦થી વધુ ટ્રીપો દ્વારા ૩.૭૦ લાખ જેટલા મુસાફરોને સુવિધા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
Feb 11, 2026 09:25 am
સરકારી કાર્યક્રમમાં વંદે માતરમના 6 છંદ અનિવાર્ય
3 મિનિટ 10 સેકંડનો ભાગ ફરજિયાતઃ સૂત્ર
રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યા બાદ વંદે માતરમ્ વાગશે
રાષ્ટ્રપતિના આગમન પર વંદે માતરમ વાગશે
રાષ્ટ્રપતિના ભાષણ પહેલા અને પછી વંદે માતરમ્ વાગશે
Feb 11, 2026 09:22 am
સંત વિનોબા નગરમાં બ્લોક નં.1માં ગેલેરી ધરાશાયી, ગેલેરી ધરાશાયી થતા 20 જેટલા મકાનમાં લોકો ફસાયા, સાત જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી, ફસાયેલા લોકોને બચાવવા ફાયર જવાનોની કામગીરી.
Feb 11, 2026 09:19 am
5 દિવસ ભજન, ભોજન, ભક્તિનો ત્રિવેણી સંગમ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે, સાધુ-સંતોના સ્વાગત માટે ડમરુ યાત્રા, સાધુ-સંતોના હસ્તે ધ્વજારોહણ કરાશે.
Feb 11, 2026 09:10 am
દરમ્યાન અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મહેસાણા માંથી ૪૦ કિલો ચાંદી સાથે મુકેશ પ્રજાપતિને ઝડપી લઈ તેની પુછતાછ કરતા તે મોબાઈલનો ધંધાર્થી હોય અને તેને પીતરાઈ ભાઈ રાજસ્થાની પ્રદીપ પ્રજાપતિ આપી ગયાનુ રટણ કરતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે. તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમને કેટલાક શંકાસ્પદોના નામ પણ મળી આવ્યા હોય પોલીસે બોટાદમાંથી નામચીન રાજુ ભોજકને ઉઠાવી લીધો હતો તેની પુછતાછ કરતા તેને રાજસ્થાનના બુટલેગર રતનસિંગ રાઠોડ સહીતના સાથે મળી ચોરીનો પ્લાન બનાવ્યો હતો બાદમાં રેકી કરી ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
Feb 11, 2026 09:09 am
ગઈ તા. ૦૩ ના સાંજે ચારેક વાગ્યે પેઢીને તાળુ મારી ચાવી સાથે લઈ લગ્ન પ્રસંગમાં જતો રહેલ હતો. બાદ તેઓ ઘરે આવતા ચોરી થયાની જાણ થઈ હતી જેથી તે તુરંત પેઢીએ ગયા હતા અને તપાસ કરતા ચાંદીના વિંછીયા તેમજ સાંકળા સહીત આશરે ૫૦ ટચના તૈયાર કરેલ દાગીના પ્લાસ્ટીકના બોક્ષમાં ભરેલ હતા, તે બોક્ષની ૧૧ બોરીમાં રાખવામાં આવ્યા હોય જે જોવામાં આવેલ નહી જેની કિંમત આશરે રૂ. ૧,૬૨,૫૦,૦૦૦ ગણાય. જેની ચોરી થયાની ફરીયાદ કરતા બી ડીવીઝન પોલીસે ગુનો નોધી કાર્યવાહી કરી હતી.
Feb 11, 2026 09:09 am
જેની પુછતાછ કરી ચોરીમાં વધુ ટીપ આપનાર સહીતના આરોપીઓને પકડી લેવા તેમજ ચોરાઉ ચાંદી કબજે કરવાની કાર્યવાહી કરી છે.તેમજ અમદાવાદ પોલીસે મહેસાણા પાસેથી ૪૦ કિલો ચાંદી સાથે એક શખસને પક્ડયા બાદ વધુ એક નોરડામાંથી ૪૦ કિલો ચાંદી સાથે પકડી લીધો હતો જેમા તેને ચાંદીના વેચાણમાં ૧૦ ટકા કમીશન આપવાનુ નકકી થયુ હતુ. પોલીસે હાલમાં કુલ ચાર આરોપીઓને પકડી લઈ ૭૧ કિલો ચાંદી કબજે કરી વધુ એક ટીપ આપનાર શખસને પકડી લેવા દોડધામ કરી છે. રૈયા સર્કલ પાસે રામેશ્વર પાર્ક-૦૧ શેરી નં.૧ માં રહેતા મૂળ પડધરીના વિમાસણ ગામના વતની અતુલભાઈ લિંબાભાઈ બુસા (ઉ. વ.૩૯) એ નોંધાવેલ જેમા તેને જણાવ્યુ હતુ કે તેઓને પેડક રોડ ચંપકનગર-૦૧ ખત્રીની વાડીની પાસે બીપીનભાઈના મકાનમાં શક્તિ સિલ્વર નામની પેઢી આવેલ છે.
Feb 11, 2026 09:05 am
રાજકોટમાં 140 કિલો ચાંદી ચોરનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે અને પોલીસે મધ્ય પ્રદેશથી મુખ્ય સૂત્રધાર રતનસિંગને ઝડપ્યો છે, આરોપી રનતસિંગની પૂછપરછમાં વધુ ખુલાસા થશે. 111 કિલો ચાંદી સાથે અત્યાર સુધી 4 આરોપી ઝડપાયા છે અને રાજુ ભોજક, રતનસિંહ, મુકેશ પ્રજાપતિ, પ્રદીપ પ્રજાપતિ ઝડપાયા છે, ચારેય આરોપીઓએ સાથે મળી ચોરીનો પ્લાન ઘડ્યો હતો. રાજકોટના સામાકાઠા વિસ્તારના પેડક પાસેના ચંપકનગરમાંથી રૂ.૧.૬૨ કરોડની કિંમતની ૧૪૦ કિલો ચાંદીના દાગીનાની ચોરીના મામલે ક્રાઈમ બ્રાંચે બોટાદના શખસને ૩૧ કિલો ચાંદી સાથે પકડી લીધા બાદ તેની પુછતાછમાં એમપીથી ચોરીમાં વધુ એક સુત્રધારને ઉઠાવી લીધો હતો.
Feb 11, 2026 08:50 am
સ્કૂલમાં કરાયુ બેફામ ગોળીબાર, ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં બની ઘટના, ઘટનામાં 30 જેટલા લોકો થયા ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા, પોલીસે ઘટનાને લઇ તપાસ હાથ ધરી, ફાયરિંગ કરનાર અજાણી વ્યક્તિની શોધખોળ.
Feb 11, 2026 08:47 am
ગાંધીધામ સેક્શન ઇજનેરી બ્લોકની કામગીરી, બ્લોકની કામગીરીને લીધે કેટલીક ટ્રેન રદ્દ, પાલનપુર, ભુજ, બાંદ્રા,અમદાવાદની ટ્રેનોને અસર, કામગીરીને પગલે 13 ફેબ્રુ. સુધી 7 ટ્રેન રદ રહેશે, 11 ફેબ્રુ.એ ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન રદ્દ, 12 ફેબ્રુ.એ બાંદ્રા ટર્મિનસથી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન રદ્દ, 13 ફેબ્રુ.એ પાલનપુર,ગાંધીધામ,એક્સપ્રેસ ટ્રેન રદ્દ.
Feb 11, 2026 08:32 am
રાજ્ય સરકારના ટૂરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે. જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગાર કરવામાં આવશે. સમગ્ર રૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ, ઈન્ફોર્મેશન સેન્ટર પણ મુકવામાં આવશે. આ ઉપરાંત શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. સંઘવીએ કહ્યું હતું કે, આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર ૧,૦૦૦ થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. ૩૦૦ થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજન (પ્રસાદ)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળાના રૂટ પર શુધ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.
Feb 11, 2026 08:30 am
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકાર દ્વારા આ વર્ષે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. દર વર્ષે અંદાજે ૧૬૦૦ પોલીસ જવાનોને ફરજો સોંપવામાં આવે છે જેની સંખ્યા વધારીને આ વર્ષે ૨૯૦૦થી વધુ કરવામાં આવી છે. મેળામાં કોઈપણ અનીચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર વિસ્તારમાં CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ, અવર જવરના રસ્તાઓ, રહેવાની સુવિધા માટે ડોર મેટરી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
Feb 11, 2026 08:28 am
મહાશિવરાત્રી મેળા અંગે વિગતે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે. જૂનાગઢમાં યોજાતા ‘મીની કુંભ’ મહાશિવરાત્રી મેળામાં પધારતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સજ્જ છે. શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવેડી રૂટ ૧.૫ કિ.મી. નો હોય છે જેમાં ૫૦૦ મીટરનો વધારો કરીને આ વર્ષે ૨ કિ.મી કરવામાં આવ્યો છે, જેથી પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે.
Feb 11, 2026 08:27 am
જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળાની તૈયારીઓ પૂર્ણ થઈ છે અને આજથી મેળાનો પ્રારંભ થયો છે, હજારો શિવભક્તો મહાદેવ દાદાના દર્શનાર્થે પહોંચ્યા છે અને પ્રથમવાર 3.5 કિમીનો માર્ગ સુશોભિત કરાયો છે. મેળામાં 10થી 12 લાખ લોકોની વ્યવસ્થાનું આયોજન કરાયું છે અને કલેક્ટર-SPએ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું છે, મહાશિવરાત્રીના મેળાના પારંભની પૂર્વ સંધ્યાએ હજારો શહેરીજનો ભવનાથમાં ઉમટી પડ્યા હતા અને ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી હજારો શિવભક્તો ભવનાથ મહાદેવ દાદાના દર્શને આવ્યા.
Feb 11, 2026 08:06 am
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં હાલ ચાલી રહેલી મતદારયાદી સુધારણા (SIR)ની કામગીરીમાં રાજ્ય ચૂંટણી પંચના આદેશથી જિલ્લા રજિસ્ટ્રાર અને કચેરીનો સ્ટાફ વ્યસ્ત છે. આથી જે બજાર સમિતિઓની મુદત પૂર્ણ થઈ છે અથવા પૂર્ણ થવામાં છે, તેવી સમિતિઓમાં ચૂંટણીનું તાત્કાલિક આયોજન કરવું શક્ય ન હોવાથી ૧૫ APMCને ૦૬ મહિનાનો મુદત વધારો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લાની ઠાસરા અને ગળતેશ્વર, બનાસકાંઠાની દિયોદર, ભાભર અને ધાનેરા, જૂનાગઢ, અમદાવાદની ધોળકા અને બાવળા, મહેસાણાની બેચરાજી, પંચમહાલની શહેરા, છોટાઉદેપુરની નસવાડી અને છોટાઉદેપુર, સાબરકાંઠાની પ્રાંતિજ, બોટાદની ગઢડા તથા અમરેલીની ખાંભા બજાર સમિતિને જાહેરનામાની તારીખથી 06 મહિનાનો મુદત વધારો આપવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યની જે બજાર સમિતિઓની ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક હુકમો કે અદાલતી ચુકાદાના આધારે હાથ ધરાયેલ હોય, તેવી સમિતિઓને આ મુદત વધારાનો લાભ મળશે નહીં.
Feb 11, 2026 08:06 am
01- ભાણવડ (દેવભૂમિ દ્વારકા)
02-ધોલેરા (અમદાવાદ)
03-તલોદ (સાબરકાંઠા)
04-સાગબારા (નર્મદા)
05-કુકરમુંડા (તાપી)
06-સુરેન્દ્રનગર
07-કામરેજ (સુરત)
08-રાણપુર (બોટાદ)
09-બરવાળા (બોટાદ)
Feb 11, 2026 08:06 am
આ સંદર્ભે વિગતવાર માહિતી આપતા કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ વિભાગ દ્વારા રાજ્યમાં જે બજાર સમિતિઓની મુદત પૂર્ણ થઈ છે, ત્યાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાની નિયમોનુસારની કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવા 'ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર' નિયામકને જાણ કરવામાં આવી છે. આ નિર્ણયથી સ્થાનિક સ્તરે ખેડૂત પ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ વધુ મોકળો થયો છે.
Feb 11, 2026 08:05 am
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC)ના સુચારુ વહીવટ માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવા માટેની સૂચનાઓ જારી કરવામાં આવી છે. જ્યારે, વહીવટી કારણોસર અન્ય 15 APMCની મુદત લંબાવવામાં આવી છે.
Feb 11, 2026 07:50 am
કરોડો રૂપિયાની માંગણી કરતો ઈમેલ મળ્યો, ધમકી આપનાર લોરેન્સ બિશ્નોઇ ગેંગનો માણસ, ધમકી મળતા પોલીસે તપાસ હાથ ધરી.
Feb 11, 2026 07:47 am
ગીર સોમનાથ એલસીબી પોલીસ અને એસઓજી પોલીસ દ્વારા આ રેડ કરવામાં આવી છે, અને આ કેસની આગળની તપાસ તાલલા પોલીસ કરી રહી છે, સમગ્ર ઘટનામાં બાતમીના આધારે આ કામગીરી કરવામાં આવી છે, આ કાર્યવાહીમાં રિસોર્ટના સંચાલક સહિત કેશોદના ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
Feb 11, 2026 07:47 am
પોલીસે સ્થળ પરથી રોયલ સ્ટેગ વિસ્કીની અડધી બોટલ, ખાલી ગ્લાસ, સોડા-પાણી અને નમકીન જપ્ત કર્યા છે, ગીર જંગલ આસપાસ હોટલ–રિસોર્ટમાં શરાબની મહેફિલો પર પોલીસની કડક નજર છે. ઝડપાયેલા આરોપીઓમાં ગીર વિવાન રિસોર્ટના સંચાલક કમલેશભાઈ ધીરજલાલ રાચચડા (ઉ.વ. 63, રહે. કેશોદ), જાવીદભાઈ ઇસાભાઈ હિંગોરા (ઉ.વ. 34, રહે. કેશોદ) અને શશીકાંતભાઇ જેઠાલાલ જોષી (ઉ.વ. 61, રહે. કેશોદ)નો સમાવેશ થાય છે.
Feb 11, 2026 07:46 am
ગીર સોમનાથમાં દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી છે અને ચિત્રોડના “ગીર વિવાન” રિસોર્ટમાં પોલીસે રેડ કરી હતી, રિસોર્ટના સંચાલક સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ કેશોદના રહેવાસી છે અને ઘટનાસ્થળેથી દારુની બોટલ, સોડા, નમકીન જપ્ત કરવામાં આવ્યા છે, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. LCB અને SOGની સંયુક્ત કાર્યવાહીમાં રિસોર્ટના સંચાલક સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ છે, પકડાયેલા તમામ આરોપીઓ કેશોદના રહેવાસી હોવાનું ખુલાસો થયો છે.
Feb 11, 2026 07:34 am
મંદિર પર પરંપરાગત ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ, પાંચ દિવસના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે, ગિરનારની તળેટીમાં પ્રથમવાર ડમરુ યાત્રા યોજાશે, યાત્રા સાંજે 7 વાગ્યાથી ભવનાથ પ્રવેશ દ્વારથી નીકળશે, ભવનાથ મંદિરના 400 મીટરના માર્ગ પર યાત્રા નીકળશે, મેળાને લઇને વહીવટીતંત્ર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ, યાત્રીઓ માટે 800-850ની ક્ષમતા ધરાવતો ડોમ બનાવાયો, ડોમમાં 24 કલાક હાઉસકીપિંગ, મેડિકલ સહાય મળશે, એસ.ટીનું 195 બસ સાથે 7800 ટ્રિપ મારવાનું લક્ષ્ય, મેળાના અંતિમ દિવસે સાધુ-સંતોની શાહી રવેડી નીકળશે.
Feb 11, 2026 07:33 am
બપોરે 12 વાગ્યાથી મસ્જિદ નિર્માણ કાર્ય શરુઃ હુમાયુ કબીર, 1200 મૌલાના, મુફ્તી, ધર્મગુરુઓને નિમંત્રણ, મસ્જિદના નિર્માણ પાછળ 300 કરોડનો ખર્ચ થવાનો દાવો, મુર્શિદાબાદમાં 2 વર્ષમાં મસ્જિદ નિર્માણ પૂર્ણ થવાનો દાવો, બાબરી મુદ્દે ઉત્તર પ્રદેશ, બંગાળમાં રાજકારણ ગરમાયું, બાબરી મુદ્દે રાજ્ય સરકાર કરી રહી છે દબાણઃ હુમાયુ કબીર, મને હટાવવા મોટી સંખ્યામાં લોકોને લવાયાઃ હુમાયુ કબીર, TMCના પૂર્વ નેતા અને JUPના પ્રમુખ છે હુમાયુ કબીર
Feb 11, 2026 07:17 am
જેમાંથી ગેસ ગળતર થવાને કારણે આ ત્રણેયનાં મોત નીપજ્યાનો પ્રાથમિક અભિપ્રાય આપ્યો હતો. પોલીસે આ ત્રણેયના મૃતદેહ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયા હતા. જેમાં પણ કાર્બન મોનોકસાઈડથી મોત નીપજ્યાની સંભાવના વ્યક્ત કરવામાં આવતાં પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Feb 11, 2026 07:17 am
અંદરનું દ્રશ્ય બિહામણું હતું. ૧૫ બાય ૪૦ના ગાળા ટાઇપના ફ્લેટમાં હોલ પાર કર્યા બાદ વચ્ચે આવતાં કિચનમાં ૧૨ વર્ષીય નોમાનની લાશ પડી હતી. આગળ જતાં બેડરૂમમાં બેડની નીચે આ ફૈઝઅહેમદ અને તેમની પત્ની મુબીનાબાનુ (ઉ.વ. ૩૭)ની લાશ પડી હતી. ત્રણેય નાઇટ ડ્રેસમાં જ હતા અને તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હોઈ ઝેરી દવા ગટગટાવ્યાની આશંકાથી દોડધામ મચી ગઇ હતી. પોલીસે ઉતાવળે ફોરેન્સિક નિષ્ણાતોને તેડાવતાં મૃતકોના શરીરમાં કાર્બન મોનોક્સાઈડ મળી આવ્યું હતું.
Feb 11, 2026 07:17 am
ઘટના સવારે સાડા આઠ વાગ્યે બહાર આવતાં ડી.સી.પી. રાઘવ જૈન, લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. ચૌધરી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોયશેરી સૈયદ મંઝિલમાં ત્રીજા માળે રહેતા અને ભેસ્તાનના રોયલ કેમિકલના નામે બે મોટા ભાઇઓ સાથે કેમિકલનો વેપાર કરતા ફૈઝઅહેમદ સૈયદ છેલ્લા બે કલાકથી ફોન નહિ ઉપાડવાની સાથે દરવાજો પણ નહિ ખોલી રહ્યા હોઈ રામપુરાથી મોટા ભાઈ ઉસ્માન સૈયદ દોડી આવ્યા હતા અને પાડોશીઓ સાથે મળી દરવાજો તોડી નાંખ્યો હતો.
Feb 11, 2026 07:16 am
સુરતમાં પતિ, પત્ની, પુત્રના રહસ્યમય મોતનો કેસ જેમાં ગૂંગળામણથી ત્રણેયના મોત થયા હોવાનું અનુમાન સામે આવ્યું છે, મૃતકોના શરીરમાં ઝેરી દવાના અંશ મળ્યા નથી. સુરતના હરિપુરા, સોયશેરીમાં બાથરૂમમાં ગરમ પાણીના નળની ચકલી ચાલુ રહી જતાં ગિઝરમાંથી થયેલા કાર્બન મોનોક્સાઈડ ગેસ ગળતર થતાં કેમિકલ વેપારી 41 વર્ષીય ફૈઝઅહેમદ યુસુફ સૈયદ તેમની 37 વર્ષીય પત્ની અને 12 વર્ષીય પુત્ર ગૂંગળાઈને કમકમાટીભર્યા મોતને ભેટતાં આખો વિસ્તાર હચમચી ઉઠ્યો છે.
Feb 11, 2026 07:05 am
પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો.
Feb 11, 2026 07:05 am
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
Feb 11, 2026 07:05 am
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Feb 11, 2026 07:05 am
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Feb 11, 2026 07:04 am
રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.
Feb 11, 2026 07:04 am
ભારતીય હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં યુપી, ઉત્તરાખંડ, MP,બિહારમાં ગાઢ ધુમ્મસ છવાશે જેમાં હિમાચલમાં અનેક સ્થળે આવતીકાલે ગાઢ ધૂમ્મસ છવાય તેવી શકયતાઓ છે, ઘણાં વિસ્તારોમાં વિઝિબિલિટી ઘણી ઓછી રહેશે તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે.
Feb 11, 2026 07:04 am
રાજ્યમાં બેવડી ઋતુની અસર વર્તાઈ રહી છે, સવારે ગુલાબી ઠંડી તો બપોરના સમયે શહેરીજનો ગરમીનો અહેસાસ કરી રહ્યાં છે, વાતાવરણમાં બદલાવ આવ્યો છે. સૌથી નીચું તાપમાન કેશોદમાં 12.3 ડિગ્રી નોંધાયું છે, દિવમાં 13.4 ડિગ્રી, કંડલામાં 14 ડિગ્રી, નલિયામાં 14.4 ડિગ્રી, ડીસામાં 14.8 ડિગ્રી, રાજકોટમાં 15.3 ડિગ્રી, ગાંધીનગરમાં 15.8 ડિગ્રી, વડોદરામાં 16.4 ડિગ્રી, ભુજમાં 16.6 ડિગ્રી, અમદાવાદમાં 17, સુરેન્દ્રનગરમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Feb 11, 2026 06:51 am
વર્લ્ડ ક્લાસ સુવિધા માટે 6 હજાર કરોડથી વધુ ખર્ચાશે, સ્પોર્ટ્સ ઇન્ફ્રાને વિકસાવવા કેન્દ્ર 3 હજાર કરોડ આપશે, ગુજરાતમા સ્પોર્ટ્સ સેક્ટરના વિકાસ માટે વિશેષ કવાયત, રાજ્ય સરકારના બજેટમાં હશે નાણાકીય જોગવાઇઃ સૂત્ર, ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવાની તૈયારી, અમદાવાદમાં ઇન્ટરનેશનલ કક્ષાની સવલતો ઊભી કરાશે.
Feb 11, 2026 06:50 am
ભારતીય ખેલાડીઓ પરિવારને નહીં લઇ જઇ શકે, BCCIએ ગત જાન્યુઆરીમાં નિયમ લાગુ કર્યો હતો, ભારતીય ટીમે પરિવારને લઇ જવાની મંજૂરી માંગી હતી, પરિવારને સાથે લઇ જવાની માંગણી ફગાવાઇઃ સૂત્ર, બોર્ડ તરફથી આ મુદ્દે કોઇ સત્તાવાર પુષ્ટી નહીં.
Feb 11, 2026 06:50 am
1,575 કરોડથી વધુનું નુકસાન થતું બચ્યું, પાકિસ્તાને મેચના બહિષ્કારની ધમકી આપી હતી, અગાઉ બહિષ્કારની ધમકી આપી હતી, બાદમાં પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું હતું, 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત-પાક મેચ રમાશે, પાકિસ્તાન ન માન્યું હોય તો ICCને નુકસાન થાત, ICCને 174 મિલિયન ડોલરનું નુકસાન થાત.
Feb 11, 2026 06:49 am
કેન્દ્રને રાજ્યો પાસેથી ડેટા એકત્ર કરવા નિર્દેશ, ‘બાળકો ગાયબ થવા પાછળના નેટવર્કની તપાસ કરો’, ‘નેશનલ કે સ્ટેટ લેવલે કોઇ નેટવર્ક હોય તો તપાસ કરો’, ‘8 મિનિટમાં એક બાળક ગુમ થવાની માહિતી શું છે’, ‘બાળકોના ગુમ થવા પાછળ કોઇ એક પેટર્ન છે કે નહીં’, પૂરો ડેટા મળ્યા પછી વિશ્લેષણ કરી શકાયઃ સરકાર.
Feb 11, 2026 06:49 am
કટ્ટરપંથીઓએ કરી હિન્દૂ વેપારીની હત્યા, મેમનસિંહ જિલ્લાના વેપારી સુશેન ચંદ્રની હત્યા, તેઓ ત્રિશાલમાં બિઝનેસ ચલાવતા હતા, વેપારીની હત્યા બાદ દુકાનમાંથી લાખોની લૂંટ.

Weather Forecast : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલશે

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

Panchmahal: બોડેલી સેવાસદન ખાતે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

Weather Forecast : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલશે