પકવાન બ્રિજ પર શનિવારે મોડી રાત્રે બાઈક લઈને જઈ રહેલા


યુવકને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા મોત થયુ હતુ. તેમાં યુવકે હેલ્મેટ પહેર્યું ન હોવાના કારણે રસ્તા પર પટકાઈ પડતા માથાના ભાગે

ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી મોત થયુ હતુ. અકસ્માત બાદ પકવાન બ્રિજનો એક તરફ્નો રસ્તો બંધ કરવો પડયો હતો. આ અંગે એસજી હાઈવે પોલીસે ફરાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

છે. મહત્વનું છે કે યુવકે માતાને ફોન કરીને બેગ લઇને ઘરે આવુ

છું તેમ કહ્યાના અડધા કલાકમાં અકસ્માત થયો હતો.

સાયન્સ સિટી રોડ પર રહેતા 32 વર્ષીય અક્ષય ગજ્જર નોકરી

કરતો હતો. શનિવારે રાત્રીના

સમયે તેઓ તેની માતા અલકાબેનના ઘરે ગયા હતા. જ્યાંથી તેઓ બાઈક લઈને રાત્રે 2.30 વાગ્યાની આસપાસ પકવાન બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પુરઝડપે આવેલા અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા હવામાં ફ્ંગોળાઈને રસ્તા પર પટકાયો હતો. તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી ઘટના સ્થળ પર જ

તેમનું મોત નિપજ્યું હતુ. અકસ્માત બાદ આસપાસના

લોકો ભેગા થઈ ગયા હતા. બીજી બાજુ વાહન

ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને

થતા એસજી હાઈવે પોલીસનો કાફ્લો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે મોકલી

આપી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: