વિરમગામ તાલુકાના દસલાણા ગામ પાસે આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. માંડલ તાલુકાના જાલીસણા ગામથી ભોજવા ગામે જઈ રહેલી જાનની એક સ્કોર્પિયો કાર અચાનક ચાલકે કાબૂ ગુમાવતા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ જાનૈયાઓને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.

ખુશીનો માહોલ ચિંતામાં ફેરવાયો

પ્રાપ્ત વિગતો અનુસાર, માંડલના જાલીસણા ગામથી જાન ભોજવા જવા માટે નીકળી હતી. જાનૈયાઓ ઉત્સાહમાં હતા, પરંતુ વિરમગામ-બેચરાજી રોડ પર દસલાણા ગામ નજીક પહોંચતા જ સ્કોર્પિયો કાર રોડ પર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડીના ટુકડા ઉડી ગયા હતા અને અંદર બેઠેલા મુસાફરો ફસાઈ ગયા હતા.

સ્થાનિકોની મદદ અને સારવાર

અકસ્માત થતા જ આસપાસના લોકો અને અન્ય જાનૈયાઓ મદદે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વિરમગામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: Gandhinagar: જિલ્લામાં બર્ડ ફ્લૂને લઈ તંત્ર એલર્ટ, 18 ટીમો દ્વારા વિવિધ તાલુકાના પોલ્ટ્રી ફાર્મમાં સઘન ચેકિંગ