ભારત દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંથી એક પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીમાં અપાય છે. જેમાં પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે. ભારત સરકારે પ્રજાસત્તાક દિવસ પહેલા આ શ્રેષ્ઠ સન્માન જે લોકોને આપવામાં આવ્યું છે તેની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કૂલ 45 લોકોને આ સન્માન આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ત્રણ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ત્રણ ગુજરાતીઓને મળશે પદ્મશ્રી પુરસ્કાર

કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશના શ્રેષ્ઠ સન્માનની જાહેરાત કરવામાં આવે છે. આ વખતે 2026ના પદ્મ પુરસ્કારોમાં ગુજરાતના ત્રણ વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં સાહિત અને શિક્ષણની કેટેગરીમાં આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે ઓળખાતા ધાર્મિક લાલ પંડ્યા, સુરતમાં ઓર્ગન ડોનેશનમાં જેમનું સૌથી મોટું નામ છે તેવા નિલેશ માંડલેવાલા અને કલા ક્ષેત્રમાં હાજી રમકડુંના નામથી પ્રચલિત હાજી મીર કાસમવાલાનો સમાવેશ કરાયો છે.

https://twitter.com/ANI/status/2015359096392978863


પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ યાદી જાહેર થાય છે

કેન્દ્ર સરકાર દ્વારા આ પુરસ્કારોની જાહેરાત પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કરવામાં આવતી હોય છે. આ યાદીમાં એવા વ્યક્તિઓના નામ સામેલ છે જેમણે સાહિત્ય, શિક્ષણ, સમાજ સેવા, દવા, કલા અને જાહેર કલ્યાણ જેવા ક્ષેત્રોમાં લાંબા સમયથી નોંધપાત્ર યોગદાન આપ્યું છે. જોકે, આ યાદી હજી સત્તાવાર નથી, અને અંતિમ મંજૂરી ભારત સરકાર દ્વારા આપવામાં આવશે.


આ પણ વાંચોઃ Surat News : સુરતની MTB કોલેજ ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ'ની ઉમંગભેર ઉજવણી કરાઈ