અમદાવાદ શહેરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓ (RTO) ખાતે અરજદારોને ભોળવીને નાણાં પડાવતા એજન્ટો અને વચેટિયાઓ પર અંકુશ લાવવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકે મોટું પગલું ભર્યું છે. શહેરની સુભાષ બ્રિજ અને વસ્ત્રાલ RTO કચેરીની આસપાસ બિનઅધિકૃત વ્યક્તિઓના જમાવડા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


અરજદારો પાસેથી પૈસા લઈ છેતરપિંડી કરતા એજન્ટ 

સરકાર દ્વારા RTOમાં એજન્ટ પ્રથા નાબૂદ કરવામાં આવી હોવા છતાં, પોલીસના ધ્યાન પર આવ્યું હતું કે કેટલાંક ઇસમો કચેરીની આસપાસ ટોળી બનાવીને ઉભા રહે છે. નિર્દોષ નાગરિકોને ગેરમાર્ગે દોરી વચેટિયા તરીકે કામ કરી આપવાની લાલચ આપે છે. અરજદારો પાસેથી પૈસા લઈ છેતરપિંડી આચરી ભાગી જાય છે.

જાહેરનામાની મુખ્ય વિગતો

પોલીસ કમિશનરે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 અન્વયે મળેલી સત્તાનો ઉપયોગ કરીને  સુભાષબ્રિજ અને વસ્ત્રાલ RTO કચેરીના મુખ્ય ગેટની આસપાસના 100 મીટરની ત્રિજ્યામાં કોઈપણ અનઅધિકૃત વ્યક્તિ કે ટોળી ઉભી રહી શકશે નહીં. જે વ્યક્તિઓને કચેરીમાં કોઈ વાજબી કે સરકારી કામ નથી, તેવી વ્યક્તિઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ હુકમ 21 જાન્યુઆરી 2026 થી 21 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે.

RTO કચેરીઓ જ્યાં જાહેરનામું લાગુ પડશે

સુભાષબ્રિજ RTO: પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, સુભાષબ્રિજ સર્કલ પાસે. વસ્ત્રાલ RTO પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વસ્ત્રાલ.

આ પણ વાંચો: 

  • Follow us on: