વાંસદા તાલુકાના ઉનાઈ માતાજીના મંદિર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસ નિમિત્તે વલસાડ-ડાંગના સાંસદ તેમજ લોકસભા દંડક ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી. જેમાં પદાધિકારીઓ તથા કાર્યકરો હાજર રહ્યા હતાં.

આ પ્રસંગે ઉનાઈ માતાજીના મંદિર પરિસરમાં 2100 દીવા પ્રગટાવી ભવ્ય દીપોત્સવ ઉજવાયો હતો. દીવાઓની રોશનીથી મંદિર પરિસર ઝળહળી ઉઠયું હતું. ઉપસ્થિત સૌએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ, સારા સ્વાસ્થ્ય અને દેશસેવાના કાર્ય માટે ઉનાઈ માતાજીને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં હાજરો લોકો જોડાયા હતાં

સંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ રાજનેતા તરીકે સતત 25 વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે સેવા આપવાનો વિક્રમ સ્થાપી રાષ્ટ્રની સેવામાં યોગદાન આપ્યું છે.

આ પ્રસંગે વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી લોચનભાઈ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો