અમરેલી જિલ્લાના બગસરામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા નિર્ણય મુજબ ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. બગસરા કેન્દ્ર પર અત્યાર સુધી ચણાની મોટી માત્રામાં ખરીદી કરવામાં આવી છે અને હવે રાયડાની ખરીદીનો પણ વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
ખેડૂત મંડળી દ્વારા ટેકાના ભાવે ખરીદી
મળતી માહિતી મુજબ, બગસરામાં અત્યાર સુધીમાં કુલ 1031 ખેડૂતો પાસેથી 3600 બોરી ચણાનો જથ્થો ટેકાના ભાવે લેવામાં આવ્યો છે. આ સફળ કામગીરી બાદ હવે રાયડાની ખરીદી પણ શરૂ કરાઈ છે. રાયડાની ખરીદીના પ્રથમ દિવસે 7 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું, જેમાંથી 3 ખેડૂતોનો રાયડાનો માલ સ્વીકારવામાં આવ્યો હતો.










