કરમસદ આણંદ મનપાનું વહીવટી અને ઈજનેરી તંત્ર ચોમાસાની પ્રિ-મોન્સૂન કામગીરીમાં ભલે સબ સલામત હોવાના બણગાં ફૂંકતું હોય, પણ શહેરમાં ચોમાસાના આરંભ સાથે વરવી સ્થિતિ તંત્રની પોલ ખોલી રહ્યું છે. જેમાં ખુદ મ્યુનિ. કમિશ્નરના બંગલાની બાજુના જાહેર માર્ગની વચ્ચે ભયજનક ભૂવા પડયાની ભરમાર સર્જાઈ છે. સ્થાનિક રહીશોના જણાવ્યાનુસાર છેલ્લા બે વર્ષથી આ મહત્વપૂર્ણ માર્ગની આવી વરવી અને ભંગાર દુર્દશા થવા પામી છે. અગાઉ પાઈપ લાઈન નાંખવા સહિતની કામગીરી માટે મુખ્ય રોડનું આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હતું. પરંતુ કામ પૂરૂ થયા બાદ તેનું યોગ્ય પુરાણકામ કરવાની કે રી-કાર્પેટીંગ ના કરાતા સ્થાનિકોની હાલાકી વેઠવી પડી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો