અંકલેશ્વર નગરપાલિકાએ શહેરમાં જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોમાસા પહેલાં ત્રણ અતિ જર્જરિત ઇમારતોને જમીનદોસ્ત કરવામાં આવી છે, જ્યારે 20 જેટલા જર્જરિત મકાનોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે.


અંકલેશ્વરમાં આવેલી જર્જરિત ઇમારતો ચોમાસામાં તુટી પડે અને જોખમ ઉભુ કરે તે પહેલા પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે જેના પ્રથમ તબક્કામાં 3 જર્જરિત ઇમારત જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, શહેરમાં આવેલા અન્ય 20 અતિ જર્જરિત મકાનોના માલિકોને પણ નોટિસ પાઠવવામાં આવી છે. નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર કેશવલાલ કોલડીયાએ નોટિસ પ્રાપ્ત કરનાર મકાન માલિકોને વહેલી તકે તેમના જર્જરિત મકાનો ઉતારી લેવા સૂચના આપી છે.

નગરપાલિકા તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ત્રણ જોખમી ઇમારતોને સંપૂર્ણપણે ઉતારી લેવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન સંભવિત ચીફ્ ઓફ્સિરે જણાવ્યું હતું કે, જો નિર્ધારિત સમયમર્યાદામાં મકાન માલિકો દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે, તો નગરપાલિકા દ્વારા નિયમ મુજબ કડક પગલાં લેવામાં આવશે અને મકાનો ઉતારી પાડવામાં આવશે. તંત્ર બાકીના જોખમી મકાનો અંગે પણ સતત કાર્યવાહી કરી રહ્યું છે.

લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: