અંકલેશ્વરમાં ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્રે કાર્યરત પ્રજ્ઞા ગ્રુપે સફ્ળતાપૂર્વક 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે પ્રજ્ઞા ગ્રુપના માલિક ડો. મહેશ પટેલના 56મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે પ્રજ્ઞા કેમિકલ કંપની ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં કેમ્પમાં ગ્રુપ સાથે જોડાયેલા કર્મચારીઓ તથા સહયોગીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કરી સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી નિયમિત રક્તદાનનું મહત્વ સમજાવાયું હતું.
