ભરૂચના અંકલેશ્વરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે, ગડખોલના ઐયપ્પા મંદિર નજીક ઢોરનો આતંક સામે આવ્યો છે, મંદિરે આવેલા દંપતીને રખડતા ઢોરે બાનમાં લીધું અને રખડતા ઢોરે મહિલા પર કર્યો અચાનક હુમલો બીજી તરફ પતિ બચાવવા જતા તેમના પર પણ હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે.
સ્થાનિકો અને બાઈકચાલકો પાછળ પણ દોડ મૂકી
રખડતા ઢોરના કારણે 5 લોકોને ઈજા પહોંચી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, સતત 15 મિનિટ સુધી ઢોર દંપતીને બાનમાં લેતો રહ્યું અને લોકો બચાવવા માટે પણ પહોંચે છે પણ ઢોર જગ્યાએથી હઠતું નથી, ત્યારે આ ઘટના બનતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે અને સ્થાનિકોનો આક્ષેપ છે કે, રખડતા ઢોરને નગરપાલિકા સમય પ્રમાણે ઢોર ડબ્બામાં પૂરતા નથી તેના કારણે ઢોર હુમલા કરતા હોય છે.
