અંકલેશ્વર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ગડખોલ ટી-બ્રિજ પર ફરી એકવાર ગાબડાં પડતાં તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે
અંકલેશ્વર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ગડખોલ ટી-બ્રિજ પર ફરી એકવાર ગાબડાં પડતાં વાહનચાલકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ભરૂચને જોડતા આ મહત્વના બ્રિજ પર રસ્તાનો ભાગ તૂટી જતાં અંદરના લોખંડના સળિયા પણ બહાર આવી ગયા હોવાનું સામે આવ્યું છે.બ્રિજ પર સર્જાયેલી આ સ્થિતિને કારણે રોજિંદા અવરજવર કરતા હજારો વાહનચાલકો જોખમ વચ્ચે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોમાં અકસ્માતની આશંકાને લઈને ચિંતા વધી રહી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે.
