અરવલ્લી જિલ્લાના સાઠંબાના ગાબટ પંથકમાં આવેલી વાત્રક ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કેનાલ ખામીયુક્ત હોવાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


 વાત્રક કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, સાઠંબાના ગાબટ પંથકમાં આવેલી વાત્રક કેનાલમાં દરવાજો (ગેટ) ન હોવાથી કેનાલનું પાણી સીધું ખેતરોમાં વહેવા લાગ્યું હતું. કેનાલનું પાણી મોટી માત્રામાં ખેતરોમાં ફરી વળતાં આશરે 10 વીઘા જમીનમાં કરેલું ઘઉંનું વાવેતર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે.

10 વીઘા ઘઉંનો પાક નિષ્ફળ

ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે આ નુકસાન વાત્રક સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે થયું છે. કેનાલની જાળવણી અને સમારકામની જવાબદારી સિંચાઈ વિભાગની હોય છે, પરંતુ દરવાજો ન હોવા જેવી પ્રાથમિક ખામીના કારણે તેમનો મોંઘો પાક નાશ પામ્યો છે.


વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 


  • Follow us on: