કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ખાતે સ્થિત બનાસ ડેરીની ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ (Embryo Transfer - ET) લેબોરેટરીની મુલાકાત લીધી હતી. તેમણે આ આધુનિક લેબની કાર્યપ્રણાલી, ટેક્નોલોજીકલ પાસાંઓ અને પ્રગતિ અંગે સંબંધિત તજજ્ઞો પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બનાસકાંઠાની મુલાકાતે
બનાસ ડેરી દ્વારા NDDB (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ) અને NDS (નેશનલ ડેરી સ્કીમ) ના સહયોગથી આધુનિક એમ્બ્રિયો ટ્રાન્સફર (ET) કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીનો મુખ્ય હેતુ પશુધનની ગુણવત્તામાં સુધારો કરીને શ્રેષ્ઠ નસલના પશુઓનું ઉત્પાદન કરવાનો છે. ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે એમ્બ્રિયો ટેક્નોલોજી ક્ષેત્રે રૈયા ફાર્મને મળેલી સફળતાની સમીક્ષા કરી હતી અને આ પ્રગતિને સરાહનીય ગણાવી હતી.










