જિલ્લાના પાંથાવાડા વિસ્તારમાં પારિવારિક વિવાદમાં હિંસા ભભૂકી ઉઠી છે. સામાન્ય રીતે સાસરીમાં પજવણીની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ અહીં પતિ અને તેના પરિવારે પત્નીના પિયરમાં જઈને હિંસક હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.


પાંથાવાડામાં પારિવારિક ઝઘડો હિંસક બન્યો

મળતી માહિતી મુજબ, પાંથાવાડામાં રહેતી એક મહિલા કૌટુંબિક અણબનાવને કારણે છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયરમાં રહેતી હતી. આ બાબતની અદાવત રાખી તેનો પતિ, દિયર અને અન્ય સાસરિયાઓ પત્નીના પિયર પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે પત્ની અને તેના પરિવારજનો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી, જે જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી.

 કુલ 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા

આ હિંસક હુમલામાં મહિલા સહિત પરિવારના અન્ય 3 સભ્યો મળી કુલ 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બંને પક્ષો વચ્ચે સામસામે મારામારી થતા વાતાવરણ તંગ બની ગયું હતું. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ મામલે પત્નીના પક્ષ દ્વારા પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે પતિ અને દિયર સહિત કુલ 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Chotila: ચામુંડા મંદિરે પૂનમનો ઉત્સાહ, ચંદ્રગ્રહણની સૂતક છતાં ભક્તો માટે દ્વાર ખુલ્લા રહેશે


  • Follow us on: