બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના 9 કેસ નોંધાયા છે અને ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે કર્યુ નિરીક્ષણ, છેલ્લા 3 માસથી સતત કેસો વધતા તપાસ કરાઇ છે અને ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ કરાઇ છે, ઓરીના કેસ વધતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે, આરોગ્ય વિભાગે હાઉસ ટુ હાઉસ સરવે કરવામાં આવી રહ્યો છે.
બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના કેસ વધ્યા
બનાસકાંઠાના ધાનેરામાં ઓરીની બિમારી વકરી રહી છે, સ્થાનિક આરોગ્ય વિભાગે આ મામલે તપાસ કરી હતી અને ગાંધીનગર આરોગ્ય વિભાગને જાણ કરી હતી જેના કારણે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરી હતી, આરોગ્ય વિભાગે જે લોકોને ઓરીનો ચેપ લાગ્યો છે તે લોકોને જાણ કરી હતી અને કહ્યું હતુ કે આ ચેપી રોગ છે જેથી સાચવવું અને કોઈ અંધશ્રધ્ધામાં પડવું નહી, જોકે, ગ્રામીણ વિસ્તારોમાં ઓરીને માતાજી પધાર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
