બનાસકાંઠાના ધાનેરામાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે, કુંવારલા ગામે 13 લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા છે, કૂતરાએ હુમલો કરતા 3 વર્ષની બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે, 13 લોકોને શ્વાને બચકા ભરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે, હડકાયા શ્વાનના ત્રાસથી રાતભર જાગતા ગ્રામજનો.


જો કૂતરૂ કરડે તો શું ન કરવું જોઈએ?

ઘા નાનો હોય તો અવગણશો નહિ

ઘા પર મીઠું, હળદર, મરચુ, સરસવનું તેલ ન લગાવશો.

હડકવવા (રબીઝ)ની રસી લેવામાં વિલંબ ન કરો તે જીવલેણ બની શકે છે.

કૂતરું ન કરડે તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ.

અજાણ્યા કૂતરાને હેરાન ન કરો, પથ્થર કે લાત ન મારવી.

કૂતરાની નજીક અચાનક ન જવું, ખાસ કરીને જ્યારે તે ખાઈ રહ્યું હોય કે તેના ગલૂડિયા સાથે હોય.

કૂતરો ભસે તો દોડશો નહિ, શાંતિથી ઉભા રહો. કૂતરાની આંખોમાં સીધી નજર ન કરો અને ધીમે ધીમે પાછળ હટો.

બાળકોએ કૂતરાની પૂંછડી પકડવી નહિ અને તેને પજવવું નહિ.

કૂતરાને નિશ્ચિત કરેલી જગ્યા પર જ ખવડાવો. (લોકોની અવરજવર વાળી જગ્યાથી દૂર)

જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ?

સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો.

ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો.

તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો.

પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ?

તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો.

તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો.

તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો..

જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ.

જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો.


આ પણ વાંચો : Mehsana News : મહેસાણાના વડનગરમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઇ, પોલીસે ચાઇનીઝ દોરીના 720 રીલ જપ્ત કર્યા


 

  • Follow us on: