બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા અમલી બનાવવામાં આવેલા સામાજિક બંધારણ અને નિયમોના ઉલ્લંઘન મુદ્દે વિવાદ ગરમાયો છે. ખાસ કરીને જાણીતા કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકવાના નિર્ણય બાદ, સામાજિક આગેવાન મુકેશજી ઠાકોરે આકરા તેવરમાં નિવેદન આપ્યું છે. મુકેશજી ઠાકોરે સ્પષ્ટ કર્યું હતું કે આ બંધારણ કોઈ એક વ્યક્તિની મરજીથી નથી બન્યું.
‘આ બંધારણ કોઈ એક વ્યક્તિએ નથી બનાવ્યું’
વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણના 27 તાલુકાના સામાજિક આગેવાનો, સંતો અને 20-25 વર્ષથી નેતૃત્વ કરતા નેતાઓના અભિપ્રાય બાદ આ નિયમો ઘડાયા છે. આ બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાંથી કુરિવાજો અને લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ (જેમ કે ડી.જે. વગેરે) દૂર કરી સમાજને પ્રગતિના પંથે લઈ જવાનો છે. વિક્રમ ઠાકોર, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના નિવેદનો મુદ્દે મુકેશજીએ જણાવ્યું કે: ગબ્બર અને અર્જુન ઠાકોરે નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે.
