બનાસકાંઠાના વાવ થરાદ જીલ્લાના સરહદી પંથકમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે, 24 કલાકમાં બે જગ્યાએ પડ્યું કેનાલમાં ગાબડું અને ધરણીધર તાલુકાના નાળોદર ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં પડ્યું મસ્ મોટું ગાબડું, ગાબડું પડતા લાખો લિટર પાણીનો થયો વેડફાટ અને કેટલાય ગામડાઓમાં નથી મળતું સિંચાઈ માટે પાણી ત્યારે કેનાલમાં ગાબડું પડતા સ્થાનિકો ચિંતામાં મૂકાયા છે તંત્ર સામે રોષ વ્યકત કર્યો છે.


ગઈકાલે વાવ થરાદ સુઈગામના ભટાસણા ગામ નજીક તૂટી કેનાલ

વાવ થરાદ સુઈગામના ભટાસણા ગામ નજીક તૂટી કેનાલ અને એટા માઈનોર કેનાલમાં પડ્યું ગાબડું, ગાબડુ પડતા ખેતરમાં વાવેતર કરેલ પાક પર ફરી વળ્યું ગાબડાનું પાણી અને ખેડૂતોનું કહેવું છે કે, અચાનક ગાબડું પડતા કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે, રાયડો, જીરું સહિતના પાક ડૂબી ગયા છે, અધિકારીઓ જગ્યા પર આવ્યા નથી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે ખેડૂતો દ્વારા.

25 નવેમ્બર 2025ના રોજ પણ પડયું હતુ કેનાલમાં ગાબડું

રાજ્યમાં નર્મદા કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં બનાસકાંઠામાં કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી હતી. આ દરમિયાન વાવના રામાસરા પાસે નર્મદાની કેનાલમાં ગાબડું 8 ફૂટનું ગાબડું પડ્યું હતુ. જેના કારણે મોટા પ્રમાણમાં પાણી ખેતરમાં ફરી વળ્યું હતુ, આ અંગેની માહિતી અનુસાર, બનાસકાંઠાના વાવના રામાસરા પાસે નર્મદાની કેનાલ પસાર થઈ રહી છે. આ નર્મદાની માઇનોર કેનાલમાં 8 ફૂટનું ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી હતી.



  • Follow us on: