બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના એક પટેલ પરિવારના ચાર સભ્યો દુબઈમાં અટવાઈ ગયા છે. તેઓ દુબઈ ફરવા માટે ગયા હતા, પરંતુ હવે વિમાની સેવા રદ થતા અને યુદ્ધની સ્થિતિને કારણે દુબઇમાં જ અટવાઇ ગયા છે.


પરિવારના સભ્યો દુબઈ ફરવા આવ્યા

પરિવારના સભ્યો દુબઈ ફરવા આવ્યા હતા, પરંતુ હવે સ્થિતી બદલાતાં ફ્લાઇટ સેવા ઠપ્પ થઇ ગઇ છે જેના કારણે તેમને ત્યાં જ આશરો લેવાની ફરજ પડી છે

દુબઇમાં પણ મિસાઇલ હુમલા થઇ

હાલ ઈઝરાઇલ-ઈરાન યુદ્ધના કારણે દુબઇમાં પણ મિસાઇલ હુમલા થઇ રહ્યા છે અને તેના કારણે વિમાની સેવા ઘણા સમયથી બંધ થઇ ગઇ છે

વીડિયો કોલ દ્વારા માહિતી

પાલનપુરમાં રહેતા આ પરિવારના સભ્યો હવે દુબઈમાં અનેક વખત વિડીયોકોલ કરીને માહિતી મેળવી રહ્યા છે. તેઓ જલ્દી ઘેર પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.


આ પણ વાંચો---    Ahmedabad : વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના, ગુજરાત કોલેજ કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળી

  • Follow us on: