બનાસકાંઠા જિલ્લાના મહત્વના વેપારી મથક એવા થરાદ APMC (માર્કેટિંગ યાર્ડ) દ્વારા ખેડૂતો અને વેપારીઓ માટે એક મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. હોળી અને ધુળેટીના પવિત્ર તહેવારોની ઉજવણીને ધ્યાનમાં રાખીને, આજ એટલે કે 1 માર્ચથી 4 માર્ચ સુધી માર્કેટિંગ યાર્ડમાં તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
થરાદ APMC આજથી 4 માર્ચ સુધી બંધ
હોળીના તહેવારને પગલે સ્થાનિક વેપારીઓ દ્વારા રજા રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ માંગણીને ગ્રાહ્ય રાખીને માર્કેટિંગ યાર્ડની સમિતિ દ્વારા સત્તાવાર રીતે ચાર દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન હરાજી સહિતની તમામ વ્યાપારી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે સ્થગિત રહેશે.










