મોડાસા, બાયડ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના હોદ્દેદારો તેમજ શિક્ષકોએ કલેક્ટરને આવેદન આપ્યું હતું. તેમને આવેદનમાં જણાવ્યું હતું કે, કેરળ રાજ્યના કાસરગોડ જિલ્લામાં યોજાયેલા એક વિજ્ઞાન પ્રદર્શન દરમિયાન સ્વાતંત્ર્યવીર સાવરકરજી અંગે સર્જાયેલા વિવાદિત પ્રશ્ન સંદર્ભે, સદર જિલ્લાના શિક્ષક ગુરુપ્રસાદજીને ફ્રજમાંથી નિલંબિત કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ આ પગલું અયોગ્ય અને અન્યાયી હોવાનું જણાવી, તે શિક્ષકને તાત્કાલિક સેવામાં પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો