આમોદમાં આછોદ રોડ ઉપર આવેલા આઈ લવ આમોદના બોર્ડ નીચે ગંદકીના ઢગલા જોવા મળતા નગર પાલિકાની સ્વચ્છતા અંગેની કામગીરી ફ્રી ચર્ચામાં આવી હતી.જાહેર માર્ગ પર જ ફેલાયેલી ગંદકીના કારણે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને સ્વચ્છતા અભિયાનના દાવાઓ સામે પ્રશ્નો ઊભા થયા હતા.


આ મુદ્દે લોકોનું કહેવું છે કે પાલિકામાં વારંવારની રજૂઆત છતાં નગરજનોની ગંદકી પ્રત્યેની મૂળભૂત સમસ્યાઓ યથાવત રહી છે. ચોતરફ ગંદકીનો માહોલ છે. જે સ્થળે આઇ લવ આમોદનું બોર્ડ મારેલું છે તેની નીચે જ ગંદકીના ઢગલા જોવા મળે છે

બીજી તરફ્, આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખ સાજીદઅલી રાણાએ આક્ષેપોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે આક્ષેપો પાયા વગરના છે. છેલ્લા દોઢ મહિનામાં નગરપાલિકાએ કરેલી કામગીરીથી નગરજનો અને વેપારીઓ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.વધુમાં જણાવ્યું કે આઈ લવ આમોદના બોર્ડ નીચેની જગ્યાની નગરપાલિકા દ્વારા નિયમિત સફઈ કરવામાં આવે છે પરંતુ રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો ત્યાં કચરો ફેંકી જતા રહે છે.તેમ છતાં ફરીયાદને ગંભીરતાથી લઈને વધુ પગલાં લેવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: