ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજયના પ્રતિભાશાળી રમતવીરોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સમારોહમાં રાજયમાં કુલ 799 રમતવીરોએ એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદીપસિંહજી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ગૌરવપુર્ણ સમારોહમાં રાજયના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભરૂચ જિલ્લાના વિવિધ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 8 જેટલા રમતવીરોને પણ પ્રતિષ્ઠીત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પિસ્તોલ અને શોટગન રમત માટે વંદનાબા રાજેન્દ્રસિંહ ચૂડાસમા, રાઈફલ શૂટીંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ ખુશી ચૂડાસમા અને ધનવીર રાઠોડને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
