ભરૂચ જિલ્લામાં હાલમાં માછીમારોની સિઝન આવી છે. ભરૂચ જિલ્લામાંથી પસાર નદી નર્મદા નદીના મીઠાં પાણીમાં ઈંડા મુકવા માટે દરિયામાંથી હિલ્સા મચ્છી આવતી હોય છે. ત્યારે માછીમારો આ સમયગાળામાં માછીમારી કરતાં હોય છે. ત્યારે ચોમાસાના ચાર મહિનામાં તેઓ દશમ કે અગિયારસથી પુનમ કે પડવા સુધી દરિયા અને નદીના સંગમ વિસ્તારમાં નાવડીમાં જ રહી ને મચ્છીમારી કરે છે. જે બાદ તેઓ કિનારે આવી 3-4 દિવસ સુધી સતત નદીમાં રહી ત્યાં જ નાવડીમાં ખાવાનું, ન્હાવા-ધોવાનું કરતાં હોય છે.ગત વખતનો જૂવાર સારો ગયો હોવાને કારણે આ હવેનો આ વખતનો વધુ સારો રહેશે તેવી આશા માછીમારોએ લગાવી છે.

કેટલાંક માછીમારોએ ગુરુવારે સાંજથી તો કેટલાંકે શુક્રવારે બીજા જૂવારની માછીમારી કરવા માટે ઉપડી ગયાં હતાં. ભાડભૂત ગામના સામાજિક આગેવાન કમલેશભાઈએ જણાયું હતું કે, આ વખતે સારો ફાલ આવે તેવી શક્યતાઓ છે.

આ ચાર મહિનાની માછીમારી કરીને માછીમારો તેમના પરિવારના ગુજરાનમાટે એક વર્ષ ચાલે તેટલું ધન અર્જિત કરવાનો પ્રયાસ કરતાં હોય છે.આ રૂપિયાથી તેઓ તેમના બાળકોના અભ્યાસ, લગ્ન સહિતના ખર્ચ પણ તેઓ આ જ ચાર મહિનામાં તેની કમાણી કરી લેતાં હોય છે.

જોકે, આગામી દિવાસોમાં જો તેઓ પુરતાં પ્રમાણમાં માછીમારીનું વળતર મેળવી ન શકે તો પણ ભાડભૂત ખાતે આવતાં મોટા વેપારીઓ તેમને આર્થિક મદદ કરતાં હોય છે. ગઈ વખતનો ફાલ સારો આવ્યો હોવાને કારણે આ વખતનો ફાલ વધુ સારો આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ હોવાનું માછીમારો માની રહ્યાં છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો