ભરૂચ શહેરમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સશક્ત પરિવારની ઓળખ, સવસ્થ માતા અને ખુશહાલ સંતાનની થીમને અનુસરીને રેલીનું રેલવે સ્ટેશનથી આયોજન કરાયુ હતુ. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓએ ફ્લેગ બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યુ હતુ. કુટુંબ નિયોજન સહિત સામાન્ય લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી યોજાયેલી આ રેલીનું જિલ્લા પંચાયત ખાતે સમાપન થયુ હતુ.

આ રેલીમાં કુટુંબ નિયોજન અંતર્ગત નાનુ કુટુંબ, સુખી કુટુંબ, ઘરમા બે બાળકોની, જોડી, સુખ વધારે અને ચિંતા થોડી જેવા વિવિધ પ્લેકાર્ડ સાથે રેલી કાઢવામાં આવી હતી.

રેલીમાં મેડીકલ કોલેજની વિદ્યાર્થિનીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં તા.18 જુલાઈ 2026 દરમ્યાન સશક્ત પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશહાલ સંતાનની થીમ હેઠળ વિશ્વ વસ્તી દિવસ-2026 ની ઉજવણી કરવામાં આવનાર છે. ભરૂચ જિલ્લાના તમામ પ્રાથમિ3 આરોગ્ય કેન્દ્રો (પીએચસી), સામુહિ3 આરોગ્ય કેન્દ્રો (સીએચસી), હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે સમયાંતરે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો