દેડિયાપાડા અને સાગબારા વચ્ચેના મુખ્ય હાઇવે માર્ગ પર કણબીપીઠા નજીક આંગણવાડીના બાળકોને આપવામાં આવતું સંજીવની દૂધ રસ્તા પર ફેંકાયેલું જોવા મળતાં અનેક સવાલો ઊભા થયા છે.


ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગરીબ અને પોષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે આપવામાં આવતું આ દૂધ રસ્તા પર કેવી રીતે પહોંચ્યું અને તેને કોણે ફેંક્યું તે હાલ તપાસનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ડેડિયાપાડા તાલુકાના ઘાંટોલી ગામ નજીક આવી જ પ્રકારની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. હવે ફરી એકવાર સંજીવની દૂધના પેકેટો રસ્તા પર જોવા મળતા સરકારી યોજનાઓના અમલીકરણ અને દેખરેખ સામે પ્રશ્નચિહન ઉભું થયું છે.

આ દૂધ ખાસ કરીને આંગણવાડીના બાળકોને પોષણ અને પ્રોટીન પૂરું પાડવા માટે આપવામાં આવે છે. ત્યારે આવા પોષણયુક્ત ખોરાકનો બગાડ થવો માત્ર સરકારી સંપત્તિનો જ નહીં પરંતુ ગરીબ આદિવાસી બાળકોના હક્કનો પણ ભંગ ગણાય. આ મામલે તાલુકા CDPO નો સંપર્ક સાધતા ફેન નહીં ઉપાડતા સુપરવાઈઝનો સંપર્ક સાધતા સુપર વાઇઝર દેવીનાબેન દ્વારા ટેલિફેનીક વાત કરતા જમાવ્યું હતું કે તેઓ રોજ બરોજ સ્ટોક બાબતે ફેલ ઓપ લેતા હોય છે અને ઘટ જોવા મળતી નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: