ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક મોલાસીસને સ્ટોર કરી તેનું ટ્રેડિંગ કરતી કિંજલ કેમિકલ્સ નામની કંપનીમાં ગંભીર ઘટના બની હતી. કંપનીમાં આવેલ એક ટ્રકે મોલાસીસ ભરેલા ટેન્કના ઓવરફ્લો પાઇપને ટક્કર મારતા ઘડાકા અને પ્રેશરથી કંપની વિસ્તારમાં મોલાસીસ ફેલાયું હતું. ઉપરાંત કંપનીએ ગેરકાયદે બનાવેલી કાંસ મારફ્તે નજીકના ખેતરોમાં પણ મોલાસીસ પ્રસરી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
મંગળવારે મોડી સાંજના સમયે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આવેલી કિંજલ કેમિકલ્સ કંપનીમાં પ્રેશર સાથે મોલાસીસ કેમિકલ વછૂટયું હતું. ટ્રકની ટક્કરથી ઓવરફ્લો પાઇપ ફાટી જતા ઘડાકા સાથે મોલાસીસ કંપની સહિત નજીકના ખેતરોમાં પહોંચ્યું હતું.
