અછાલીયા : ઝઘડીયા તાલુકાના અછાલીયા સ્થિત ભાથીજી મંદિર નો જીર્ણોધ્ધાર 2006 ના માં થયો હોય જેના 20 મા પાટોત્સવ ની ઉજવણી નગરજનો દ્વારા કરવામાં આવી હતી , મંદિર નો શણગાર તથા નૂતન ધ્વજારોહણ કરાયા બાદ પાટોત્સવ પૂજન અર્ચન શાસ્ત્ર્રોક્ત વિધિસર સંપન્ન થયું હતું , સંધ્યા આરતી ધૂન ,થાળ ભોગ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ભાવિકો જોડાઇને ભાથીદેવ ને વંદના કરી કૃતાર્થ થયા હતા, મહાપ્રસાદ ગ્રહણ કર્યા બાદ રાત્રે ભાથીજી મંડળ ના ઉપક્રમે ભજન કિર્તન કાર્યક્રમ યોજાતા ભક્તિસભર માહોલ છવાયો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: