તા. 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિ3 અને રથયાત્રાને શાંતિપુર્ણ અને સૌહાર્દપુર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે ભરૂચ જિલ્લા પોલીસ કચેરી ખાતે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં ભરૂચ શહેર અને અંકલેશ્વરની સંયુકત શાંતિ સમિતિની બેઠ3 યોજાઈ હતી. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, રથયાત્રા સમિતિના હોદ્દેદારો તથા વિવિધ સામાજી3 સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં રથયાત્રાના રૂટ, ટ્રાફિ3 વ્યવસ્થા, સુરક્ષા આયોજન, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત તેમજ કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં રથયાત્રા યોજાય તે માટે જરૂરી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યુ હતુ કે, ભરૂચની જગન્નાથ રથયાત્રા ગુજરાતની સૌથી જુની અને ઐતિહાસી3 રથયાત્રાઓમાં સ્થાન ધરાવે છે. વરસોથી આ રથયાત્રા હિન્દુ-મુસ્લિમ એકતા, પરસ્પર વિશ્વાસ અને સામાજી3 સૌહાર્દનું જીવંત પ્રતિ3 બની રહી છે. તેમણે જણાવ્યુ હતુ કે, દર વર્ષની જેમ આ વરસે પણ રથયાત્રાના સમગ્ર માર્ગ પર મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીના રથનું સ્વાગત કરવામાં આવશે. ઠંડા પીણા, પાણી, શરબત અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. બેઠકમાં બંને સમાજના આગેવાનોએ શાંતિપુર્ણ માહોલ જાળવી રાખવા પોલીસ તંત્રને સંપુર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
