સાળંગપુર : બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતેના વિશ્વપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા પવિત્ર અધિક માસ મંગળવાર નિમિત્તે હરિભક્તો માટે આધ્યાત્મિક આયોજન કરવામાં આવ્યું છે. સાળંગપુરધામમાં તા. 02-06-2026ના મંગળવારના પવિત્ર દિવસે સંગીતમય સુંદરકાંડના સમુહ પાઠનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ભક્તિમય મહોત્સવ ગત તા. 17મેથી આગામી તા. 15મી જૂન, 2026 દરમિયાન દર મંગળવારે સંગીતમય સુંદરકાંડ પાઠ ધામધૂમથી ઉજવાશે.
