જિલ્લા વહીવટી તંત્ર બોટાદ દ્વારા મિશન લાઈફ અંતર્ગત ત્રિદિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી નિમુબેને જણાવ્યું હતું કે, આ મેળામાં સખી મંડળના ૨૬ સ્ટોલમાં સ્વદેશી ચીજ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બહેનો દ્વારા હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેમાં, પ્રાકૃતિક કૃષિ, મધ, દેશી ઘી, પંચગવ્યથી બનાવેલ અગરબતી, સાબુ, ધૂપ, વિવિધ ફ્લેવરના ખાખરા, મુખવાસ, શાલ, હિંચકા, શો પીસ સહિતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
બહેનોએ પોતાની રીતે વસ્તુઓ બનાવી
મંત્રીએ જણાવ્યું હતું કે, હસ્તકલા ઉદ્યોગથી મહિલાઓ આત્મનિર્ભર બને ઉપરાંત પ્રાકૃતિક કૃષિને વેગ મળે તે માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં મિશન લાઇફ અન્વયે મહિલાઓને આત્મનિર્ભર બનવા તક પૂરી પાડવામાં આવે છે. જે અન્વયે બહેનો પોતાની રીતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરી શકે તથા પોતાના કાર્યોથી ઓળખ ઊભી કરી શકે છે.













