બોટાદ જિલ્લાના ગઢડામાં સાંકડી શેરી નજીક જૂના સ્વામીનારાયણ મંદિર સામે રહેતી 65 વર્ષીય સાંખ્યયોગી બહેન જસુબેન કોરડિયાને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંદાતા પોલીસે તપાસ શરુ કરી છે.
શું થયું હતુ?
ગત રાત્રે પૂજા કર્યા પછી ઘરે જતાં જસુબેને રોડ પર પડેલી બાઈક વિશે પૂછતા, બાઈકનો માલિક હિતેશ બલદાણીયા નામનો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તેમને અપશબ્દો બોલ્યા બાદ હાથમાં કાંટાવાળું ઝાડૂ લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
