સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.02-03-2026ને સોમવારના રોજ હોળી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા ગુલાબના ફૂલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર કરાયો હતો.


[[$googlead]]

શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી

સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાને વૃન્દાવનમા તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા દાદાના સિંહાસને ગુલાબનાં ફુલોનો સાથે રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.દાદાને રંગો અને પીચકારીઓ ધરાવવામાં આવી હતી. તેમજ મંદિર તથા પરિસરમાં રંગબેરંગી ફૂલો અને કાપડનો ઉપયોગ કરી વિશેષ શુશોભન કરવામાં આવ્યું છે. જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.


[[$alsoread]]

રંગોત્સવની પૂર્વ તૈયારીઓ અંતર્ગત અનેક ભક્તો સેવામાં જોડાયેલ છે

હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 03 માર્ચે 2026ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગો (ગુલાબી, લાલ, પીળો, નારંગી) દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. રંગોત્સવની પૂર્વ તૈયારીઓ અંતર્ગત અનેક ભક્તો સેવામાં જોડાયેલ છે.


આ પણ વાંચો : Surat News : સુરતથી ટ્રેન મારફતે યુપી-બિહાર જવા 20 કલાકમાં 20 હજાર મુસાફરો વતન પહોંચ્યા


  • Follow us on: