બોટાદ જિલ્લાના તાજપર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પત્ની અને સસરાના સતત ત્રાસથી કંટાળીને એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. મૃતક યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસે પુત્રવધૂ અને તેના પિતા (સસરા) વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પત્ની અને સસરાના સતત ત્રાસથી આત્મહત્યા
તાજપર ગામના રહેવાસી ભરત કનુભાઈ રાઠોડ નામના યુવકે રેલવે ટ્રેક પર પડતું મૂકીને પોતાનો જીવ આપી દીધો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક ભરતના લગ્ન આશરે દસ માસ પહેલા રેફડા ગામના પુનમબેન હરેશભાઈ મકવાણા સાથે થયા હતા. આ લગ્ન સંબંધે એક ગંભીર બાબત સામે આવી છે કે, ભરત રાઠોડે યુવતીના પિતા હરેશભાઈ મકવાણાને લગ્ન કરવા માટે રૂ. 5 લાખ આપ્યા હતા. જોકે, લગ્નના થોડા સમય બાદ જ પુનમબેન અન્ય વ્યક્તિ સાથે નાસી છૂટી હતી.










