નસવાડી ખાતે ચાલતી કન્યા છાત્રાલયમાં ગૃહમાતાની જગ્યાએ ગૃહપતિ ફરજ બજાવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કન્યા છાત્રાલયથી રેલી યોજીને ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું. અને 10 દિવસમાં નિરાકરણ લાવવા રજૂઆત કરાઇ હતી. જો તેમ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.નસવાડીની કન્યા છાત્રાલયમાં ગૃહમાતા ન હોવાને કારણે કન્યાઓને મુશ્કેલી પડે છે. જ્યારે કન્યા છાત્રાલયનું સંચાલન કુમાર છાત્રાલયના ગૃહપતિ દ્વારા કરાય છે. જેમાં સંચાલનના ઘણા પ્રશ્નો ઉદભવે જે અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.
10 દિવસમાં મહિલા વોર્ડન ન મૂકાય તો ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી










