છોટાઉદેપુર નજીકથી પસાર થતા અને મધ્યપ્રદેશને જોડતા મહત્વના માર્ગ પર આવેલો ઓરસંગ નદીનો બ્રિજ છેલ્લા કેટલાક સમયથી ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયો હતો. પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન બ્રિજ પર પાણી ભરાઈ રહેવાની અને તેના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે માર્ગ પર મોટા ખાડા પડી જવાની સમસ્યા સર્જાય છે. જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો હતો.
તાજેતરમાં જ કોન્ટ્રાક્ટર દ્વારા આ બ્રિજ પર પડેલા ઊંડા ખાડાઓનું પુરાણ કામ શરૂ કરવામાં આવ્યું છે. રોડનું રિપેરિંગ થતાં જ આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. ખાડા પુરાઈ જવાથી અકસ્માત થવાનો અને વાહનોને નુકસાન પહોંચવાનો મોટો ભય ટળ્યો છે.
