છોટાઉદેપુર : કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામે ખાટીયાબારી ફ્ળિયું ખાતે તાજેતરમાં દીપડાએ આશરે 65 વર્ષીય વૃદ્ધાને ઘરની પાછળ આવેલી ઓરડીમાં સૂતી હતી. તે દરમિયાન ઢસડીને જંગલ તરફ્ ખેંચી ગયો હતો. દીપડાના આ હુમલામાં વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું હતું. જેને લઈને સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરિ વળ્યું હતું. જે બાદ વન વિભાગ (ફેરેસ્ટ ડિપાર્ટમેન્ટ) દ્વારા મૃતક વૃદ્ધાના પરિવારને સહાયરૂપે રૂા. 10 લાખનો ચેક મંજૂર કરાયો હતો. રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવા દ્વારા આ સહાયનો ચેક પીડિત પરિવારને સુપરત કરાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો