નસવાડી : પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે નસવાડી તાલુકા કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો હતો. સાથે જ રોપવામાં આવેલા વૃક્ષોની નિયમિત સંભાળ અને જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.કાર્યક્રમમાં નસવાડી તાલુકા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તથા પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
