પાવીજેતપુર તાલુકામાં એક જ દિવસમાં બે અલગ ગંભીર માર્ગ અકસ્માતમાં બે યુવાનના કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.


પ્રથમ અકસ્માત તાલુકાના કુકણા ગામે રણાફ્ળિયા પ્રમુખ સ્ટોકની નજીક સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રેક્ટર અને રેતી ભરેલી હાઈવા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા. જેમાં ટ્રેક્ટર ચાલક ઘનશ્યામ ભરત રાઠવા (ઉં.30, રહે. સુસ્કાલ)નું મોત થયું હતું. સ્થાનિકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો અકસ્માત સુસ્કાલ બસ સ્ટેન્ડ પાસે સર્જાયો હતો. અહીં ત્રણ બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં પિયુષ બળવંત સુરતી (ઉં.21, રહે. સુરત)ને ગંભીર ઇજા થતાં તેનું મોત થયું હતું. પિયુષ પોતાના મિત્રને મળવા અને ફરવા માટે સુરતથી સુસ્કાલ આવ્યો હતો. પરંતુ અકસ્માતને કારણે અકાળે મૃત્યુ થતાં પરિવાર અને મિત્રવર્તુળમાં શોકનો માહોલ છવાયો છે. એક જ દિવસમાં બનેલા આ બે ગંભીર અકસ્માતોમાં બે યુવાનોના જીવ જતાં શોકની લાગણી પ્રસરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: