ડભોઇ પંથકના ખેડૂતો અવારનવાર નર્મદા નિગમના અધિકારીઓની જોહુકમીનો ભોગ બને છે. આ બાબતે કેટલાય સમયથી કેનાલોની ખસ્તા હાલત બાબતોની ફરીયાદ કરેલ હતી. તેનું સમયસર નિરાકરણ લાવવાને બદલે હવે માથે વરસાદ બેઠો છે. ત્યારે કામગીરી શરૂા કરાઇ છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, વિસ્તારમાંથી પસાર થતી પોર મેઇન બ્રાન્ચ કેનાલની મરામત્ત માટે મહિના પહેલાથી કોન્ટ્રાકટર દ્વારા સિમેન્ટ કોંક્રિટના પ્લાન્ટ સહિતની કામગીરી શરુ કરી દેવાયું હતું. પરંતુ અગમ્ય કારણોસર મરામત્તની કામગીરી શરુ કરેલ ન હતી. જે બાબતે પણ ખેડૂતો દ્વારા અધિકારીઓને વારંવાર વિનંતી કરેલ. ત્યારે જઇને હવે કામગીરી શરુ કરી છે. હવે વરસાદ માથે છે. કામગીરી ચાલુ કરી છે.

તો આવી કામગીરીની મજબૂતાઈ બાબતે પણ ખેડૂતો શંકા વ્યક્ત કરી છે. આ બાબતે નર્મદા નિગમના સંબંધિત અધિકારીને કચેરીએ પૂછતા મોટા સાહેબને પૂછી લો તેવો ઉડાઉ જવાબ અમને પણ મળેલ છે. વધુમાં ડભોઇ નર્મદા નિગમ અંતર્ગત આવતી કેનાલોની ખસ્તા હાલતને લઈ ખેડૂતો અવારનવાર તકલીફેમાં મુકાતા રહ્યાં છે. આ બાબતે જો ખેડૂતો નર્મદા નિગમની ડભોઈ કચેરીએ રજૂઆત કરવાં જાય છે. તો ત્યાં અધિકારીઓ હાજર રહેતા નથી. જો હોય તો ઉદ્ધત જવાબો આપતા હોવાનું ખેડૂતોએ જણાવેલ છે. જેથી અધિકારીઓની તાનાશાહી સામે હવે જિલ્લા કલેક્ટરને આવેદન આપવાનું ખેડૂતોએ જણાવેલ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: