દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયતની કુલ 38 સીટો પર કુલ 234 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં.ચકાસણીના દિવસે મેન્ડેટ વિનાના અને ડમી ફોર્મ જ રદ થયા હતા.ત્યારે આજે પાંચ અપક્ષ અને આપના બે મળી કુલ 7 ફોર્મ જ પરત લેવાયા હતા. એક પણ બેઠક બિનહરીફ થઈ શકી નથી.


દાહોદ તાલુકા પંચાયતની કુલ 38 બેઠકો માટે કુલ 234 ઉમેદવારી પત્ર ભરાયા હતા.ચકાસણીના દિવસે માત્ર ડમી અને મેન્ડેટ વગરના જ ફોર્મ રદ થતાં બાકી તમામ ફોર્મ માન્ય થયા હતા. તારીખ 15 એપ્રિલના રોજ ઉમેદવારી પરત લેવાનો અંતિમ દિવસ હતો ત્યારે ગલાલીયાવાડ, ઉસરવાણમાંથી બે ફોર્મ મળી રળિયાતી,બાવકા-2 અપક્ષના કુલ 5 ફોર્મ પરત ખેંચાયા હતા.

જ્યારે ગલાલીયાવાડ અને ખંગેલા-2 બેઠક પરથી આપના ઉમેદવારોએ પણ ફોર્મ પરત લીધા હતા. આમ દાહોદ તાલુકા પંચાયતમાં માત્ર 7 ફોર્મ જ પરત લેવાતા એક પણ બેઠક બિનહરીફ થઈ શકી નથી અને તમામ બેઠકો પર ઓછામાં ઓછો ત્રિપાંખિયો જંગ તો ખેલાશે જ. આમ તાલુકા પંચાયતની ચુંટણીઓ આગામી દિવસોમાં રસપ્રદ બની રહેશે તે નિશ્ચિત છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: