જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતિ થોડા મહિનાઓ પહેલા દાહોદ પધાર્યા હતા. ત્યારબાદ આજે લીમડી ખાતે ફરીથી તેઓની પધરામણી થતાં સનાતન સમાજમાં આસ્થાની લહેર દોડી ગઈ હતી. મુખ્ય કાર્યક્રમ એચીવર સ્કુલમાં યોજાયો હતો.


જગદગુરૂ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતિ મહારાજે લીમડીમાં પધારતાં સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠયો હતો. જગદગુરૂ શંકરાચાર્ય લીમડી ખાતે સર્વધર્મ યાત્રા અંતર્ગત એક વિશાળ સભા યોજાઈ હતી. જેનો મુખ્ય હેતુ સનાતન ધર્મના પ્રચાર- પ્રસાર સાથે સમાજમાં ધાર્મિક જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે જગદગુરૂ શંકરાચાર્ય લીમડીની એચીવર સ્કૂલ ખાતે પધાર્યા હતા.સ્કૂલ દ્વારા આજના દિવસે આસપાસના અંદાજે 50 જેટલા પરિવારો અને 100 જેટલા બાળકોને દત્તક લેવાની મહત્વપૂર્ણ પહેલ કરી હતી. સભામાં જગદગુરૂ શંકરાચાર્યએ તેમના પ્રવચનમાં જણાવ્યું કે, જીવનને કેવી રીતે સાર્થક રીતે જીવવું, ધર્મના માર્ગે કેવી રીતે આગળ વધવું તેમજ મોહ-માયાથી પરે રહી આધ્યાત્મિક જીવન જીવવાની માર્ગદર્શિકા આપી. કાર્યક્રમમાં લીમડી તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

છેલ્લા નવ વર્ષથી શાળામાં દર શનિવારે પંચકુડી યજ્ઞ કરાય છે, તેની પણ માહિતી તેઓએ મેળવી શાળામાં ગુરૂકુળ જેવા વાતાવરણનું નિર્માણ કરી એક યજ્ઞશાળા બનાવવા સૂચન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લાના ગણમાન્ય સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

લુણાવાડા અને ગોધરામાં પણ ધર્મસભા યોજાઈ

ગોધરા,લુણાવાડા : સનાતન ધર્મ જાગૃતિ સેવા અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ગત તા.20મીના રોજ દ્વારકા શારદાપીઠાધીશ્વર અનંત વિભૂષિત જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનું પાવન આગમન થયું હતું. જ્યારે ગઈકાલે ગોધરા ખાતે શંકરાચાર્યની મુલાકાતના અંતિમ દિવસે ધર્મસભા યોજાઈ હતી. ગત તા.20મીના રોજ લુણાવાડાના રાણા પ્રતાપ ચોક ખાતેથી યુવાનો દ્વારા એક વિશાળ બાઇક રેલી યોજાઈ હતી. લુણાવાડા બાવન પાટીદાર સમાજ ઘર હોલ ખાતે જગદગુરુની સનાતનના જયઘોષ સાથે વિશાળ ધર્મસભા યોજાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: